અમરેલીમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે “વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” થીમ સાથે ઉજવણી કરવામાં આવી હતી. વનચેતના કેન્દ્ર ખાતાકીય નર્સરી ખાતે
જનજાગૃતિલક્ષી કાર્યક્રમ યોજાયો હતો. અમરેલી પ્રાંત અધિકારી મહેશ નાકિયાના અધ્યક્ષસ્થાને પ્રેઝન્ટેશન દ્વારા પ્લાસ્ટિક પ્રદૂષણ નિવારણ અંગે માર્ગદર્શન અપાયું હતું.
વૃક્ષારોપણ, ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ અને જળ સંરક્ષણ જેવા વિષયો પર પણ ચર્ચા થઈ હતી. રેન્જ ફોરેસ્ટ ઓફિસર જે.એસ. ખાખસે પર્યાવરણ જાળવણીના શપથ લેવડાવ્યાં હતા. આયુર્વેદ કોલેજના નેત્ર ચિકિત્સાલય વિભાગના વિદ્યાર્થીઓને તેમની સક્રિય ભાગીદારી માટે પ્રમાણપત્રો અપાયા. જાગૃતિ ફેલાવવા માટે બાઇક રેલીનું આયોજન કરાયું હતું. રેલી વનચેતના કેન્દ્રથી શરૂ થઈ શહેરના વિવિધ માર્ગો પર ફરી વનચેતના કેન્દ્ર ખાતે સમાપ્ત થઈ હતી.