વેરાવળ એસ.ટી. ડેપો ખાતે બ્રહ્માકુમારી ભાઈ-બહેનો દ્વારા પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત એક નાટક રજૂ કરાયું. આ નાટક દ્વારા મુસાફરો, કંડક્ટર, ડ્રાઈવર અને વહીવટી સ્ટાફને પ્લાસ્ટિકથી થતા નુકસાન વિશે માહિતગાર કરાયા અને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા.