વૃંદાવન સેવા ગૃપ દ્વારા લીલીયાને લીલુછમ્મ બનાવવાના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમને સફળ બનાવવા આર્થિક સહયોગ આપનાર દાતાઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશભાઇ પાનસુરીયાનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે ભનુભાઇ ડાભી, ગૌતમભાઇ વીંછીયા, જિગ્નેશભાઇ સાવજ, વિપુલભાઇ દુધાત, ભીખાભાઇ ધોરાજીયા, હસમુખભાઇ હપાણી, અરૂણભાઇ પટેલ, બહાદુરભાઇ બેરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.