વિમાન દુર્ઘટનાને પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ દોડી આવ્યા હતા. તેઓએ કહ્યું કે, વિમાનમાં કુલ ૨૩૦ યાત્રી અને ૧૨ ક્રુ મેમ્બર હતા. ૧ યાત્રીને બચાવ થયો છે. હું તેને મળીને આવ્યો છું. ઘટના બાદ ગુજરાત સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટને સક્રિય કર્યું હતું. ભારત સરકારે ઝ્રઇઁહ્લ નો સંપર્ક કરી તમામે સાથે મળી બચાવ કાર્ય કર્યું હતું. ફ્‌લાઇટમાં ૧.૨૫ લાખ લિટર ઇંધણ હતું. ગરમીના કારણે તાપમાન વધુ હતું. જેથી કોઈને બચાવવાનો મોકો ન મળ્યો. કોઈને બચાવી શકાય તેવી સ્થિતિ નહોતી. મૃતદેહ બહાર નીકળવાનું પૂર્ણ થવા આવ્યું હતું. અમિત શાહે વધુમાં કહ્યું કે, યાત્રિકોના પરિવારજનોના ડ્ઢદ્ગછ લેવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. વિદેશમાં રહેતા લોકોને ડ્ઢદ્ગછ માટે જાણ કરી છે. ગુજરાતમાં ૧૦૦૦ ડ્ઢદ્ગછ ્‌ઈજી્‌ કરવા પડશે. ટેસ્ટ કરવાની ક્ષમતા ગુજરાતમાં છે. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની મદદથી ઝડપથી ટેસ્ટ કરાશે. ડીએનએ બાદ જ તમામને
મૃતદેહ આપવામાં આવશે.