સિવિલ હોસ્પિટલથી મોટી ખબર આવી છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ડીએનએ મેચ થયા છે. જેના બાદ તેમના મૃતદેહને પરિવારને સોંપાશે. હર્ષ સંઘવીએ ડીએનએ મેચ થયાની માહિતી મીડિયાને આપી.
પ્રાપ્ત માહિતી અનુસાર, પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમવિધિ કાલે રાજકોટમા થશે. આજ સાંજ સુધીમાં સ્વ.વિજય રૂપાણીનો મૃતદેહ રાજકોટ પહોંચશે. પરિવારજનો આજે સાંજ સુધીમાં ગાંધીનગરથી રાજકોટ પહોંચી જશે. પરિવાર ચાર્ટર પ્લેન મારફત હિરાસર એરપોર્ટ પહોંચશે.
૧૨ જૂને અમદાવાદમાં સદીની સૌથી મોટી વિમાન દુર્ઘટના બની. જેના શિકાર થયેલા હતભાગીઓમાંથી એક નામ છે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું. સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે જાણીતા વિજય રૂપાણીએ પાંચ વર્ષ સુધી ગુજરાતની ધુરા સંભાળી હતી. ૧૨ જૂને અમદાવાદથી લંડન જતી ફ્લાઈટમાં તેઓ પોતાના પરિવારને મળવા જઈ રહ્યા હતા. પરંતુ આ ફ્લાઈટ દુર્ઘટના બની અને તેમનું નિધન થયું. વિજય રૂપાણીના નિધનની ખબર સાંભળતા જ તેમનો પરિવાર વતન પહોંચી ગયો હતો. પ્રધાનમંત્રી મોદીએ અંજલિબેન સાથે મુલાકાત કરી તેમને સાંત્વના પણ પાઠવી હતી.
વિજય રૂપાણીના ડીએનએ મેચ થવાની લોકો રાહ જાઈ રહ્યા હતા. ડીએનએ મેચ થયા બાદ તેમનો પાર્થિવ દેહ પરિવારને સોંપવામાં આવ્યો છે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર રાજકોટમાં થવાના છે. જ્યાં તેમની અંતિમ વિધિની તમામ તૈયારીઓ થઈ ગઈ છે. વિજય રૂપાણીના નિધનથી રાજકોટ શોકમાં ડૂબ્યું છે. હંમેશા લોકોની મદદ માટે તૈયાર રહેતા પૂર્વ મુખ્યમંત્રીને રાજકોટ સહિક આખું ગુજરાત ભીની આંખે શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે.
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પાર્થિવ દેહને રાજકોટ લાવવામાં આવશે. મોટી સંખ્યામાં મહાનુભાવો રાજકોટ પહોંચી રહ્યાં છે. તો રેસકોર્સ મેદાન ખાતે તેમની પ્રાર્થના સભાનું આયોજન કરાયું છે. ૨૫૦૦ થી વધુ માણસો બેસી શકે તે પ્રકારની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવશે. રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે પ્રાર્થના સભાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
રાજકોટ શહેર પોલીસ દ્વારા બહાર જાહેરનામું પાડવામાં આવ્યું છે. રૂટ પર તમામ વાહનોની પ્રવેશબંધી તેમજ નો પાક્રીગ ઝોન રહેશે. ગ્રીન લેન્ડ ચોકડીથી વિજય રૂપાણીના ઘર સુધી નો પા‹કગ ઝોન રહેશે. એમ્બ્યુલન્સ મારફતે પાર્થિવ દેહને અમદાવાદથી ગ્રીન લેન્ડ ચોકડી ખાતે લાવવામાં આવશે. તૈયાર કરવામાં આવનાર શબવાહિનીમા પાર્થિવ દેહને પ્રકાશ સોસાયટી ખાતે લઈ જવામાં આવશે. અંતિમ યાત્રા સમયે પણ વાહનોની પ્રવેશ બંધી તેમજ નો પા‹કગ ઝોન લાગુ કરવામાં આવશે.
રાજકોટ ખાતે વિજય રૂપાણીના પાર્થિવ દેહને દર્શન માટે રાખવામાં આવશે. રાજકોટ શહેર પોલીસ દ્વારા ચાર જુદી જુદી જગ્યાએ પા‹કગની વ્યવસ્થા રાખવામાં આવી છે. પ્રકાશ સોસાયટી પાસે આવેલી ચાર જુદી જુદી જગ્યાએ પા‹કગ વ્યવસ્થા રાખવામાં આવી છે. વીવીઆઈપીના પા‹કગની વ્યવસ્થા ઓમકાર એપાર્ટમેન્ટ પાસે કરાઈ છે. નિર્મલા કોન્વેન્ટ સ્કૂલની અંદર, સોજીત્રા નગર પાસે આવેલા ખુલ્લા પ્લોટમાં તેમજ વીરબાઈ માં મહિલા કોલેજના પાછળના ગ્રાઉન્ડમાં પા‹કગ વ્યવસ્થા કરાઈ.