ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા તારીખ ૨૯/૫/૨૫ થી ૧૨/ ૬/૨૫ દરમિયાન પ્રી ખરીફ કેમ્પેઇન અંતર્ગત વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન માટેનો કૃષિ રથ સાવરકુંડલા તાલુકાના મેકડા, શેલણા, આંકોલડા અને જાફરાબાદ તાલુકાના ફાચરીયા, લોર, મોટા માણસા મુકામે પહોંચ્યો હતો. આ વિકસિત કૃષિ સંકલ્પ યાત્રામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અમરેલીના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. મીનાક્ષીબેન બારીયાના માર્ગદર્શન હેઠળ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડો વી.એસ. પરમાર, ડો. એન. એમ. કાછડીયા અને ખેતી અધિકારી અને સુજીત બારિયા દ્વારા ખેડૂતોને આધુનિક ખેતીની માહિતી તેમજ પ્રાકૃતિક ખેતીનો પ્રચાર પ્રસાર કરવામાં આવે છે.આ કાર્યક્રમમાં નિવૃત વિસ્તરણ અધિકારી એ. એમ. શેખવા પણ હાજર રહી ખેડૂતોને માર્ગદર્શિત કરે છે. આ કાર્યક્રમમાં આત્માના પ્રતિનિધિ, રામ સેવક તેમજ બાગાયત અધિકારી પણ હજાર રહ્યા હતા. ખેડૂતો પણ આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં જોડાયા હતા.