લીલીયા મોટાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં સ્વામી વિવેકાનંદની જન્મ જયંતીની ઉજવણી અંતર્ગત એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના સામુદાયિક સેવા ધારા અને એન.એસ.એસ. વિભાગ દ્વારા “સ્વામી વિવેકાનંદ અને યુવાનો” વિષય પર વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી. આચાર્ય ડા. રાજેન્દ્રસિંહ એ. રાઠોડની પ્રેરણાથી યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદના જીવનમાંથી પ્રેરણા મેળવી પોતાના જીવનનો સર્વાંગી વિકાસ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો. કાર્યક્રમની શરૂઆત સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ડા. મહેશ એસ. ગઢીયાએ સ્વામી વિવેકાનંદના વિચારોની સમજ આપી હતી, જ્યારે ડા. શબીર પરમારે આધ્યાત્મિક પાસાઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું. વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સ્વામી વિવેકાનંદના જીવન અને વિચારો વિશે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. પ્રા. સુભાષ એન. ઓડેદરાએ સ્વામી વિવેકાનંદના જીવનના પ્રેરક પ્રસંગો વિશે માહિતી આપી હતી.