લીલીયા મોટામાં પટેલ વાડી ખાતે તાલુકા ભાજપ પરિવાર દ્વારા નેત્ર ચિકિત્સા ટ્રસ્ટ આયુર્વેદિક હોસ્પિટલ-અમરેલીના સહયોગથી આયુર્વેદિક કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં પધારેલા મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી આ કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ કેમ્પમાં ડો.રાહુલ, ડો.વૈશાલી સાવજ સહિત અનેક ડોક્ટરો અને કર્મચારીઓ દ્વારા દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવી હતી. વર્તમાન વિધાનસભા ચૂંટણીમાં ૧૫૬ સીટો ભાજપે જીતી છે. ત્યારે આ કેમ્પનો પણ ૧૫૬ દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પ દરમિયાન શિયાળાને લઈ ચ્યવનપ્રાસનું લોન્ચિંગ કરાયું હતું. આ કેમ્પને સફળ બનાવવા લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી, મહામંત્રી ગૌતમભાઈ વિછીયા, જીગ્નેશ સાવજ, વિપુલભાઈ દુધાત, ભીખાભાઈ ધોરાજીયા, અરજણભાઈ ધામત, કાંતિભાઈ શિંગાળા, ઘનશ્યામભાઈ મેઘાણી, આનંદ ધાનાણી, આર.બી. ભાલાળા, મનસુખભાઈ ગાંગડીયા, વિજયભાઈ ગજેરા, પ્રકાશ રાઠોડ, હિતેશ પરમાર, ઈમરાન પઠાણ સહિત લીલીયા તાલુકા ભાજપના કાર્યકરો દ્વારા જહેમત ઉઠાવાઈ હતી.