લીલીયા મોટા ગામમાં ગટરનો પ્રશ્ન વર્ષોથી છે. વેપારીઓ, રાહદારીઓ, વિદ્યાર્થીઓ, મુસાફરો આ સમસ્યાથી ત્રાહિમામ પોકારી ગયા છે. ગામ લોકો નર્કની યાતના ભોગવી રહ્યા છે. તંત્રમાં અનેક રજૂઆતો કરવા છતાં કોઈ પણ પ્રકારની કામગીરી થતી નથી. ભૂગર્ભ ગટરના રૂપિયા દસ કરોડ મંજૂર થયેલ છે. ત્રણ વાર ટેન્ડર પ્રક્રિયા કરેલ ત્યારે માંડ માંડ એક કોન્ટ્રાકટર આવેલ છે.
તા.૮-૫-૨૦૨૪ નો વર્ક ઓર્ડર મળેલ છે તેવું જાણવા મળેલ છે પરંતુ કોઈ પ્રકારનું કામકાજ શરૂ કરેલ નથી. કામકાજ કેમ શરૂ થતુ નથી ? અથવા સરકાર દ્વારા ખોટા વાયદા કરવામાં આવે છે. જો દિન-૧૦ માં કોઈ નકકર કામગીરી કરવામાં નહી આવે તો જિલ્લા કોંગ્રેસ મહામંત્રી નીતિનભાઈ ત્રિવેદી સહિત કોંગ્રેસ સમિતિ દ્વારા આંદોલનનો માર્ગ લેવામાં આવશે. ૧૦ દિવસ બાદ મામલતદાર કચેરી સામે ઉપવાસ આંદોલન કરાશે. તે પછી પણ કોઈ કાર્યવાહી કરવામાં નહી આવે તો ગામ લોકોનો સહકાર લઈને ગટર બુરવાની કામગીરી કરાશે.