રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા અમરેલી જિલ્લા સહિત રાજ્યભરના ખેડૂતોને ઓર્ગેનિક ખેતી વિશે ઓનલાઇન માધ્યમથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ માર્ગદર્શનનો કુંકાવાવના ખેડૂતોએ લાભ લીધો હતો. મોટી સંખ્યામાં ખેડૂતોએ ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમ નિહાળ્યો હતો. આ તકે કુંકાવાવ મોટીના સરપંચ સંજયભાઇ લાખાણી (ફૌજી), તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલભાઇ અંટાળા, મહેશભાઇ, વિનુભાઇ મુલાણી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.