લોહપુરુષ અને દેશના મહાન ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના અવસરે ૯૮- રાજુલા વિધાનસભા મતવિસ્તારની સરદાર@૧૫૦ અંતર્ગત યુનિટી માર્ચ પદયાત્રા તા.૧૭-૧૧- ૨૦૨૫ના રોજ યોજાશે. રાજ્યમાં વિધાનસભા વિસ્તારવાર યોજાતી આ યુનિટી માર્ચ પદયાત્રા રાજુલા શહેરમાં સવારે ૮ કલાકે ડો. બાબા સાહેબ આંબેડકર સર્કલથી પ્રસ્થાન કરી, શહીદ ચોક, સરસ્વતી સ્કૂલ, ૐ લકુલીશ સ્કૂલ, છતડીયા ગામ, હિંડોરણા (R&B સ્ટેટ ઓફિસ)ના રૂટ પર ફરીને બાલક્રિષ્ના સ્કૂલ ખાતે પદયાત્રાનું સમાપન થશે. આ પદયાત્રામાં રાજુલાના નગરજનો સહિતના નાગરિકોને સહભાગી બનવા માટે વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.










































