સાવરકુંડલાની પરિણીતાને સુરતમાં સાસુએ મારી નાંખવાની ધમકી આપી હતી. ઉપરાંત પતિએ ઢીકાપાટુનો માર માર્યો હતો. બનાવ અંગે હાલ રાજુલાના કડીયાણી આંગણવાડી પાણીના ટાંકા પાસે રહેતી હિરલબેન પ્રકાશભાઇ બગડા (ઉ.વ ૩૫)એ સાવરકુંડલામાં રહેતા પ્રકાશભાઇ હમીરભાઇ બગડા (પતિ), દુધીબેન હમીરભાઇ બગડા (સાસુ), સુરેશભાઇ હમીરભાઇ બગડા (જેઠ) તથા જયાબેન શામજીભાઇ કાનજીભાઇ રાઠોડ (નણંદ) અને શામજીભાઇ કાનજીભાઇ રાઠોડ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમને તેના પતિ પ્રકાશભાઇ હમીરભાઇ બગડા તથા સાસુ દુધીબેન હમીરભાઇ બગડા તથા જેઠ સુરેશભાઇ હમીરભાઇ બગડા તથા નણદ જયાબેન તથા નણદના ઘરવાળા શામજીભાઇ કાનજીભાઇ રહે અકતરીયા તા.ગારીયાધાર વાળાએ અવાર-નવાર હેરાન પરેશાન કરતા હતા. પતિ કરીયાવર બાબતે મેણા ટોણા મારતા હતા. પતિ, જેઠ-નણદ-નણંદના પતિએ શરીરે ઢીકા પાટુનો માર મારી જેમ ફાવેતેમ ગાળો આપી હતી. તેમજ સાસુએ મારી નાખવાની ધમકી પણ આપી હતી.