રાજુલા નજીક આવેલ કુંભનાથ મહાદેવ મંદિરે હજારો ભાવિકો દર્શનાર્થે આવતા હોય છે. અહીં નજીકમાં જ પર્વતમાળામાં બે દિવસ પહેલા એક સાથે ૪ દીપડા જોવા મળતા ભાવિકોમાં ભારે ભયનો માહોલ ફેલાઇ જવા પામ્યો છે. આ અંગે વનતંત્રને જાણ કરવામાં આવતા વનતંત્ર દ્વારા દીપડાઓને પાંજરે પૂરવા પાંજરા ગોઠવવામાં આવતા બે દીપડાને પાંજરે પૂરવામાં વનવિભાગને સફળતા મળી હતી. જ્યારે હજુ પણ દીપડાના આંટાફેરા જોવા મળતા હોય, વનતંત્ર જાગૃત થઇ આ દીપડાઓને પાંજરે પૂરે તેવી દર્શનાર્થીઓમાંથી માંગ ઉઠવા પામી છે.