અમરેલીના રાજસ્થળી ગામે સરદાર પટેલ સ્મારકનું અનાવરણ નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા ખોડલધામ સમિતિના કન્વીનર સુરેશભાઈ દેસાઈ, ટ્રસ્ટી રમેશભાઈ કાથરોટિયા, કાળુભાઇ સુહાગિયા સહિતની સમગ્ર ખોડલધામ ટીમ, અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ ભુવા અને સમાજના અગ્રણીઓ, તાલુકા પંચાયત પ્રમુખ કિશોરભાઈ કાનપરીયા, અગ્રણી ઉદ્યોગપતિઓ અને ગ્રામપંચાયતની સમગ્ર ટીમ અનાવરણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. સાથોસાથ સરપંચ ગણપતભાઈ સેંજલીયા અને ગ્રામજનો પણ હાજર રહ્યા હતા.