ગુજરાતમાં કોરોના કેસમાં દિવસે દિવસે વધારો થતો જઇ રહ્યો છે. ગુજરાતમાં અમદાવાદ પછી રાજરોટમાં પણ કોરોના કેસમાં વધારો થતો જઇ રહ્યો છે. એટલુ જ નહીં રાજકોટમાં કોરોનાના કારણે એક દર્દીનું મોત થયાનું પણ સામે આવ્યુ છે. રાજકોટમાં કોરોનાના કારણે આ પ્રથમ મોત થયુ છે.

રાજકોટમાં કોરોનાનો કહેર ધીમે ધીમે વધતો જઈ રહ્યો છે. શહેરમાં આજે કોરોના વાયરસના કારણે પ્રથમ મોત થયાનું સામે આવ્યુ છે. ૫૫ વર્ષીય આધેડે શહેરની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. મળતી માહિતી અનુસાર, તેમને છેલ્લા ચાર દિવસથી કોરોનાના લક્ષણો હતા અને ગઇકાલે ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આમ, રાજકોટ શહેરમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા હવે ૧૧૪ પર પહોંચી છે. આજે નવા ૯ કેસોની નોંધ કરવામાં આવી છે. કોરોના સામેની લડતમાં અત્યાર સુધી ૬૧ દર્દીઓ સાજા થયા છે, જ્યારે હાલ ૫૩ દર્દીઓ સારવાર હેઠળ છે.

રાજ્યસ્તરે જાવામાં આવે તો ગુજરાતમાં કોરોનાના કેસોનો કુલ આંકડો ૧૧૦૯ સુધી પહોંચી ગયો છે. માત્ર એક જ દિવસે ૨૩૫ નવા કેસ નોંધાતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. ચિંતાજનક બાબત એ છે કે છેલ્લા એક સપ્તાહમાં ગુજરાતમાં કેસ ત્રણગણા થયા છે. એÂક્ટવ કેસનો આંક હવે એક હજારને પાર પહોંચી ગયો છે.