રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે દર મહિને ૧૦૦ યુનિટ ફ્રી કરવાની અને ૨૦૦ યુનિટ સુધી કોઈ ચાર્જ નહીં લેવાની જાહેરાત કરી છે. આના કારણે રાજ્યમાં દર મહિને ૧૦૦ યુનિટ સુધીનું વીજળીનું બિલ શૂન્ય થઈ જશે. રાજસ્થાન સરકારની આ જાહેરાત પર આરએલડી ચીફ જયંત ચૌધરીએ ગેહલોત સરકારના વખાણ કર્યા છે. આ સાથે યુપીની યોગી સરકાર પર નિશાન સાધ્યું છે.
સીએમ ગેહલોતના ટ્‌વીટને રીટ્‌વીટ કરતા જયંત ચૌધરીએ કહ્યું, “આ પગલું તળિયાની લાઇનને સીધી રાહત આપશે! યુપી સરકારે ઓછી આવક ધરાવતા અને મધ્યમ આવક ધરાવતા પરિવારોના વીજળી ગ્રાહકોને પણ રાહત આપવી જાઈએ.”
જયંત દ્વારા કરવામાં આવેલા વખાણને ૨૦૨૪માં યોજાનારી લોકસભા ચૂંટણી સાથે જાડવામાં આવી રહ્યું છે. વાસ્તવમાં એવી ચર્ચા છે કે જયંત ઇચ્છે છે કે ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને યુપીમાં વિપક્ષી ગઠબંધનમાં સામેલ કરવામાં આવે. ઈÂન્ડયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે જયંત અને આઝાદ સમાજ પાર્ટીના વડા ચંદ્રશેખર આઝાદ કોંગ્રેસ નેતૃત્વને મળી ચૂક્યા છે. જણાવી દઈએ કે રાજસ્થાનમાં કોંગ્રેસના નેતૃત્વવાળી સરકારમાં આરએલડી સામેલ છે.