દેશમાં સ્વચ્છતા અભિયાનના દસ વર્ષ પૂરા થવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગાંધીજયંતિના દિવસે હવે દેશભરમાં રૂ.૧૦ હજાર કરોડથી વધુના એક અમૃત સ્વચ્છતા અભિયાન આયોજનનો પ્રારંભ કરતા જણાવ્યુ હતુ કે દેશના અનેક શહેરોમાં વોટર અને સીવેજ (ગંદા પાણી) ટ્રીટમેન્ટ પ્લાન બનાવવામા આવશે અને નમામી ગંગા સાથે જાડાયેલા પ્રોજેકટમાં કચરામાંથી ગોબર ગેસ અને બાયો ગેસ ઉત્પન્ન કરવાનુ મિશન પણ હાથ ધરવામા આવશે. તેમણે કહ્યુ કે દેશમાં સ્વચ્છતા અભિયાન જેટલુ સફળ થશે તેટલો જ આપણો દેશ ચમકશે.
આજે દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે વડાપ્રધાને આ યોજનાની આધારશિલા રાખી હતી અને કહ્યુ હતુ કે આપણે ગંદકીથી જેટલા નફરત કરશું તેટલા સ્વચ્છતા માટે મજબૂત બનશું. મોદીએ કહ્યું કે આજે ગાંધીજયંતિના દિવસે અને લાલબહાદુર શાસ્ત્રીની જન્મજયંતિએ હું બંને મહાનુભાવોને શ્રધ્ધાપૂર્વક નમન કરૂ છું. જે ભારતનુ સ્વપ્ન મહાત્મા ગાંધી અને દેશની મહાન વિભૂતિએ જાયુ હતુ તે આપણે સૌ સાથે મળીને સાકાર કરીશું.
મોદીએ કહ્યું કે, ૧૦ વર્ષમાં સ્વચ્છતા પ્રત્યે આપણે ઘણુ અપનાવ્યુ છે. આજે દેશભરમાં લોકો તેમના નામ, શહેર, સોસાયટી, ફલેટમાં સ્વચ્છતાનો આગ્રહ રાખીરહ્યા છે અને આપણે તેને આદત બનાવી દેવાની છે. મિશન અમૃત હેઠળ રૂ.૧૦ હજારના પ્રોજેકટની શરૂઆત થઈ છે અને તે સફળ થશે તો ૧ હજારવર્ષ બાદ પણ આ એકવીસમી સદીના અભિયાનને યાદ કરાશે.
દેશનુ સ્વચ્છતા અભિયાન દેશનુ સૌથી મોટુ જનભાગીદારી, જનનેતૃત્વ અને જનઆંદોલન બની રહેશે. તેમણે કહ્યુ કે સ્વચ્છ ભારત મિશનથી દર વર્ષે ૬૦ થી ૭૦ હજાર બાળકોના જીવન બચી રહ્યા છે. આ અભ્યાસ આંતરરાષ્ટ્રીય ખાદ્ય નીતિ અનુસંધાન સંસ્થા, કેલીફોર્નિયા વિશ્ર્વવિદ્યાલય અને ઓહીયો સ્ટેટ યુનિવર્સિટી દ્વારા કરાયુ છે.
સ્વચ્છતાને કારણે ગ્રામીણ ક્ષેત્રના પરિવારોના રૂ.૫૦ હજાર બચી રહ્યા છે કારણ કે ગંદકીથી થતી બિમારી ઘટી છે. દેશમાં સ્વચ્છતા અભિયાનથી એક મોટુ મનોવૈજ્ઞાનિક પરિવર્તન આવ્યુ છે અને લોકોની વિચારવાની પધ્ધતિ પણ બદલાઈ છે.
આજે ગાંધીજયંતિના દિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાળાના વિદ્યાર્થીઓ સાથે સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કર્યો હતો. મોદીએ કહ્યું કે આપણી આસપાસ સ્વચ્છતા બનાવી રાખીએ જે પૂરા દેશને સ્વચ્છ રાખશે.કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે છેલ્લા પખવાડિયામાં દેશભરમાં કરોડો લોકોએ ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમોમાં ભાગ લીધો છે. મને જાણ કરવામાં આવી છે કે ‘સેવા પખવાડા’ના ૧૫ દિવસમાં દેશભરમાં ૨૭ લાખથી વધુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૨૮ કરોડથી વધુ લોકોએ ભાગ લીધો હતો. સતત પ્રયત્નોથી જ આપણે આપણા ભારતને સ્વચ્છ બનાવી શકીશું. હું દરેક ભારતીયનો આભાર વ્યક્ત કરું છું.કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે આજે આ મહત્વપૂર્ણ સીમાચિહ્ન પર, સ્વચ્છતા સંબંધિત લગભગ ૧૦ હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ પણ શરૂ કરવામાં આવ્યા છે. મિશન અમૃત અંતર્ગત દેશના અનેક શહેરોમાં વોટર અને સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવશે. નમામિ ગંગે સંબંધિત કામ હોય કે કચરામાંથી બાયોગેસ બનાવતા ગોબરધન પ્લાન્ટ, આ કામ સ્વચ્છ ભારત મિશનને નવી ઊંચાઈએ લઈ જશે. સ્વચ્છ ભારત મિશન જેટલું સફળ થશે તેટલો જ આપણો દેશ ચમકશે. પીએમ મોદીએ સ્વચ્છતા મિશનમાં ભાગ લેનાર સ્વચ્છતા કાર્યકરો, ધાર્મિક નેતાઓ, રમતવીરો, સેલિબ્રિટીઓ, એનજીઓ સહિત તમામ લોકોની પ્રશંસા કરી હતી.
સીએમ ભુપેન્દ્ર પટેલે સ્વચ્છતા એ જ પ્રભુસેવા જણાવતા પોરબંદરની છાયા નગરપાલિકામાં શ્રમદાન કર્યુ હતુ. તેમણે પોતે ઝાડુથી કચરો વાળીને બધાને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. તેની સાથે તેમણે જણાવ્યું હતું કે ગાંધીજીએ લોકોને સ્વરાજ્યની સાથે સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મહાત્મા ગાંધીની જન્મ જયંતી એ પોરબંદરના સુદામા મંદિર પરિસરમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સફાઈશ્રમદાનમાં સહભાગી થયા હતા તેઓની સાથે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના મહાનુભાવો સહભાગી થયા હતા.આ પહેલાં સીએમ ભૂપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે પૂજ્ય બાપુના જન્મ સ્થળ પોરબંદર કીર્તિ મંદિર ખાતે પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સર્વધર્મ પ્રાર્થનામાં પણ તેઓ સહભાગી થયા હતા.