મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતમાં ગાંધીનગરમાં જનગણના-સેન્સસ ગુજરાતની અદ્યતન વેબસાઈટ નું લોન્ચિંગ કર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ડિજિટલ ગવર્નન્સ દ્વારા જનગણનાથી જન કલ્યાણનો વડાપ્રધાનનો હેતુ પાર પડશે અને કલ્યાણ યોજનાઓના અસરકારક આયોજન-અમલથી સંતુલિત વિકાસને બળ મળશે.જનગણના ગુજરાતની નવી વેબસાઈટ માં મોડર્ન એલિમેન્ટ્‌સ, ઈઝી મેનુ અને મલ્ટીલેંગ્વેજ ફંકશન સાથે યુઝર્સને સરળ એક્સેસ મળશે.ગુજરાત, દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવની જનગણના નિયામક કચેરી દ્વારા તૈયાર કરવામાં આવેલી આ વેબસાઈટમાં મોર્ડન એલિમેન્ટ્‌સ, ઇઝી મેનુ અને મલ્ટીલેંગ્વેજ ફંકશન સાથે યુઝર્સને સરળ એક્સેસ મળશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  આ વેબસાઈટનું લોન્ચિંગ કરતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનકલ્યાણની દરેક યોજનાઓના અસરકારક અમલ અને આયોજનથી સંતુલિત વિકાસનો જે ધ્યેય રાખ્યો છે તે જનગણનાથી જનકલ્યાણની ટેગ લાઈનને સુસંગત છે. નવી વેબસાઈટ લોન્ચિંગ થી એને વધુ બળ મળશે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ આ વખતે દેશની આગામી જનગણના ૨૦૨૭ અંતર્ગત પ્રથમ વખત મોબાઇલ એપ્લીકેશન દ્વારા સંપૂર્ણપણે ડિજિટલ  રીતે હાથ ધરવામાં આવી રહી છે તેની સરાહના કરતા કહ્યું હતું કે, નાગરિકો વેબ પોર્ટલ દ્વારા સુરક્ષિત રીતે તેમનો ડેટા સબમિટ કરી શકે તે માટે પ્રથમ વખત, સેલ્ફ એન્યુમરેશન એટલે કે સ્વ-ગણતરી સુવિધા પણ રજૂ કરવામાં આવી રહી છે. તેનાથી પાયલટ પ્રોજેક્ટમાં પસંદ થયેલા જિલ્લાઓમાંથી ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ મળશે.રાજ્યના જનગણના નિયામક સુજલ મયાત્રાએ આ વેબસાઈટની વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું કે, આગામી ૨૦૨૭ની જનગણના માટે રિહર્સલ હાથ ધરવામાં આવ્યું છે અને વિવિધ મોબાઇલ એપ્સનો ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું છે.આ જનગણના ૨૦૨૭ના પ્રિ-ટેસ્ટ માટે ગુજરાતના સુરત મહાનગરપાલિકાના ૧૩૩ બ્લોક, દાહોદના દેવગઢબારિયા તાલુકાના ૨૬ ગામોના ૭૦ બ્લોક અને મોરબીના ટંકારા તાલુકાના ૨૫ ગામોના ૬૦ બ્લોક પસંદ કરવામાં આવ્યા છે. આ પસંદ કરાયેલા વિસ્તારોમાં જે પ્રિ-ટેસ્ટ કામગીરી ૧૦ થી ૩૦ નવેમ્બર દરમિયાન હાથ ધરવાની છે તેની જાણકારી પણ જનગણના નિયામક આપી હતી.આ વેબસાઈટ લોન્ચિંગ અવસરે મુખ્ય સચિવ એમ. કે. દાસ, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંઘ અને જનગણના નિયામક કચેરી ગુજરાતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.