બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમારે પહેલીવાર પોતાના પિતાના સમર્થનમાં જાહેર નિવેદન આપ્યું છે. આનાથી રાજ્યના રાજકારણમાં નવી અટકળોને જન્મ મળ્યો છે. અત્યાર સુધી રાજકારણથી અંતર જાળવી રાખનારા નિશાંતે બિહારના લોકોને આગામી ચૂંટણીમાં નીતિશ કુમારના સમર્થનમાં મતદાન કરવાની અપીલ કરી છે. ચૂંટણી પહેલા તેમની અપીલને એક મહત્વપૂર્ણ રાજકીય સંકેત માનવામાં આવી રહ્યો છે.
હકીકતમાં, પટના જિલ્લાના બખ્તીયારપુરમાં સ્વતંત્રતા સેનાનીઓની પ્રતિમાને માળા અર્પણ કરતી વખતે, નિશાંતે તેમના દાદાના યોગદાનનો ઉલ્લેખ કર્યો અને કહ્યું, મારા દાદા સ્વતંત્રતા સેનાની હતા. સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન તેઓ જેલમાં પણ ગયા હતા. આ કારણોસર મુખ્યમંત્રીએ તેમને રાજ્ય સન્માન આપ્યું છે.
નિશાંત અત્યાર સુધી રાજકારણથી દૂર રહ્યા છે, પરંતુ તેમના તાજેતરના નિવેદનથી એવી અટકળોને વેગ મળ્યો છે કે તેઓ સક્રિય રાજકારણમાં પ્રવેશ કરી શકે છે. જાકે, નીતિશે હંમેશા પોતાને વંશીય રાજકારણથી દૂર રાખ્યા છે. જો નિશાંત રાજકારણમાં પ્રવેશ કરે છે, તો તેની બિહારમાં સત્તા સંતુલન પર અસર પડી શકે છે. આગામી ચૂંટણી પહેલા બિહારમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે.