અમરેલીના માળીલા ગામના બસ સ્ટેન્ડ પાસે ફોર વ્હીલની ટક્કરથી એક યુવકનું મોત થયું હતું. અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના મેવડીપાડા ગામના અને હાલ માળીલા ગામના રણજીતભાઈ વાળાની વાડીએ રહેતા અશોકભાઈ દિત્યાભાઈ ડામોર (ઉ.વ.૨૦)એ ફોર વ્હીલ નંબર જીજે-૧૪-
બીડી-૩૮૨૨ના ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીએ પોતાના હવાલાની કાર પુરઝડપે બેફિકરાઇથી ચલાવી મરણજનાર દિત્યાભાઇ સોમજીભાઇ ડામોરને અડફેટે લઇ એક્સિડન્ટ કરી માથાના તથા મોઢાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી મોત નિપજાવી નાસી ગયો હતો. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ.એન.જાદવ વધુ તપાસ કરી રહ્યા છે.