બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે એન.ડી.એના ઉમેદવાર જગદીપ ધનખડને સમર્થન આપવાનું એલાન કર્યું છે.આમ ઉપરાષ્ટ્રપતિ પદ માટે આગામી ૬ઠ્ઠી ઓગસ્ટે ચૂંટણી યોજાવા જઈ રહી છે.
ઉપરાષ્ટ્રપતિ પદ માટે ૬ ઓગસ્ટના રોજ મતદાન થશે.જેમાં એનડીએ એ પોતાના ઉમેદવાર તરીકે જગદીપ ધનખડને મેદાનમાં ઉતાર્યા છે,જ્યારે વિપક્ષ તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે માર્ગારેટ આલ્વા મેદાનમાં છે.ત્યારે ધનખડને અત્યારસુધી ભાજપ, જેડીયુ, અપના દળ (સોનેલાલ),બીજેડી એઆઇએડીએમકે ,વાય.એસ.આર કોંગ્રેસ,લોક જનશક્તિ પાર્ટી જેવા પક્ષોનું સમર્થન મળ્યું છે,જ્યારે વિપક્ષના ઉમેદવાર માર્ગારેટ આલ્વાને કોંગ્રેસ,સપા અને ડાબેરી પક્ષોનું સમર્થન છે.