વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે મલેશિયાની બે દિવસીય મુલાકાત માટે રવાના થયા. જતા પહેલા, તેમણે કહ્યું કે ભારત મલેશિયા સાથે સંરક્ષણ અને સુરક્ષા સંબંધોને મજબૂત બનાવવા અને આર્થિક અને નવીનતા ક્ષેત્રોમાં ભાગીદારીનો વિસ્તાર કરવાનું વિચારી રહ્યું છે.

પીએમ મોદીએ કહ્યું, “ભારત અને મલેશિયા વચ્ચેના ઐતિહાસિક સંબંધોમાં તાજેતરના વર્ષોમાં સતત પ્રગતિ જાવા મળી છે.” તેમણે ઉમેર્યું, “પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમ સાથેની મારી ચર્ચાઓ અને આપણી વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા અંગે હું ઉત્સાહિત છું.” તેમણે ઉમેર્યું, “અમારું લક્ષ્ય આપણા સંરક્ષણ અને સુરક્ષા સંબંધોને વધુ ગાઢ બનાવવા, આપણી આર્થિક અને નવીન ભાગીદારીને વધારવા અને નવા ક્ષેત્રોમાં આપણા સહયોગને વિસ્તૃત કરવાનો છે.”

પીએમ મોદીની મુલાકાતનો હેતુ વેપાર, રોકાણ, ઉર્જા અને દરિયાઈ સુરક્ષાના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાનો છે. આ પ્રધાનમંત્રી મોદીની મલેશિયાની ત્રીજી મુલાકાત છે. ઓગસ્ટ ૨૦૨૪ માં ભારત-મલેશિયા દ્વિપક્ષીય સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં ઉન્નત કરવામાં આવ્યા પછી આ તેમની પ્રથમ મુલાકાત છે.

પીએમ મોદી આ સમયગાળા દરમિયાન મલેશિયાના વડા પ્રધાન અનવર ઇબ્રાહિમ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. તેઓ ભારતીય સમુદાયના સભ્યો તેમજ ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે પણ વાતચીત કરશે. પ્રધાનમંત્રીની મુલાકાત દરમિયાન ૧૦મું ભારત-મલેશિયા સીઈઓ ફોરમ પણ યોજાશે.

વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, ભારત અને મલેશિયા વચ્ચે ઐતિહાસિક, સભ્યતા અને સાંસ્કૃતિક સંબંધો પર આધારિત લાંબા સમયથી સંબંધ છે. “મલેશિયામાં ૨.૯ મિલિયન ભારતીય સમુદાયની હાજરીથી આ સંબંધ વધુ મજબૂત બને છે, જે વિશ્વનો ત્રીજા સૌથી મોટો દેશ છે.”

મલેશિયામાં ભારતીય હાઈ કમિશનર બી.એન. રેડ્ડીએ આ વ્યૂહાત્મક ભાગીદારીના ભવિષ્ય વિશે વિગતવાર ચર્ચા કરી. તેમણે જણાવ્યું કે બંને દેશો ભારતના ‘મહાસાગર’ વિઝન અને વ્યાપક ઈન્ડો-પેસિફિક વિઝન હેઠળ સાથે મળીને કામ કરી રહ્યા છે. આગામી સમયગાળામાં, ૨૦૨૪ માં શરૂ કરાયેલી પહેલોને અમલમાં મૂકવા અને સહયોગમાં નવા પરિમાણો ઉમેરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ભારત અને મલેશિયાના ઇતિહાસમાં પહેલીવાર, બંને દેશોએ ‘સુરક્ષા સંવાદ’ શરૂ કર્યો છે. આ સંવાદ સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રમાં વધતા વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે.

મલેશિયા ડિજિટલ અર્થતંત્રના ક્ષેત્રમાં ભારત સાથે જોડાવાની પણ તીવ્ર ઇચ્છા ધરાવે છે. રેડ્ડીએ કહ્યું કે ડિજિટલ ટેકનોલોજી પરના એમઓયુ બાદ, ‘મલેશિયા-ભારત ડિજિટલ કાઉન્સીલ’ ની સ્થાપના કરવામાં આવી છે, જે આ ક્ષેત્રમાં ક્રાંતિ લાવશે. મોદી આજથી મલેશિયાની બે દિવસીય મુલાકાત પર છે. આ મુલાકાત ઓગસ્ટ ૨૦૨૪ માં ભારત-મલેશિયા સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી સુધી પહોંચાડ્યા પછી છે. આ મુલાકાત દરમિયાન, વેપાર, રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા સહયોગ તેમજ સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ભાગીદારી પર એક મુખ્ય કરાર પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે. તેથી, વડા પ્રધાન મોદીની મલેશિયા મુલાકાત બંને દેશો માટે ઘણી રીતે મહત્વપૂર્ણ રહેશે.

આ મુલાકાત મલેશિયાના વડા પ્રધાન અનવર ઇબ્રાહિમના આમંત્રણ પર થઈ રહી છે અને તેનાથી ભારત-મલેશિયાના સંબંધો વધુ મજબૂત થવાની અપેક્ષા છે. પીએમ મોદીની મુલાકાત દરમિયાન વેપાર, નાણાં, સુરક્ષા અને સાંસ્કૃતિક સહયોગ સહિતના અનેક મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે. આસિયાન-ભારત આર્થિક પરિષદ ના અધ્યક્ષ રમેશ કોડમ્મલે જણાવ્યું હતું કે મલેશિયાની સરકાર અને લોકો વડા પ્રધાન મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરી રહ્યા છે. તેમણે કહ્યું, “આ લાંબા સમયથી રાહ જોવાતી મુલાકાત છે, અને લોકો પીએમ મોદીને જોવા, સાંભળવા અને મળવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. ભારત-મલેશિયા સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જવાની આ એક સુવર્ણ તક છે.” કોડમ્મલે જણાવ્યું હતું કે ૨૦૨૩-૨૪માં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર આશરે ઇં૨૦ બિલિયન હતો, અને તેમાં વધુ વૃદ્ધિ થવાની અપેક્ષા છે. વધુમાં, ભારત-આસિયાન અને ભારત-મલેશિયાના વેપાર સંબંધો પણ સતત મજબૂત થઈ રહ્યા છે.

વિદેશ મંત્રાલયના સચિવ (પૂર્વ) પી. કુમારને જણાવ્યું હતું કે મોદી અને ઇબ્રાહિમ ભારત-મલેશિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ થયેલી પ્રગતિની સમીક્ષા કરશે, ખાસ કરીને વેપાર, રોકાણ, સંરક્ષણ, સુરક્ષા, સેમિકન્ડક્ટર, નવીનીકરણીય ઉર્જા અને શિક્ષણ જેવા સહયોગના પ્રાથમિક ક્ષેત્રોમાં. તેમણે એમ પણ કહ્યું કે ભારતની જેમ મલેશિયા પાસે પણ એસયુ-૩૦ ફાઇટર જેટ છે, અને નવી દિલ્હી તેના કાફલાને જાળવવા અને અપગ્રેડ કરવામાં દેશને મદદ કરવાની શક્યતા શોધી રહી છે.મલેશિયા એક પુલ તરીકે – મલેશિયા આશિયાનનો સ્થાપક સભ્ય છે અને ઇસ્લામિક વિશ્વ, પૂર્વ એશિયા અને વૈશ્વીક બજારો વચ્ચે પુલ તરીકે સેવા આપે છે. આ મુલાકાત દક્ષિણપૂર્વ એશિયા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે, જ્યારે અન્ય પ્રદેશો (જેમ કે યુએસએ અને યુરોપ) સાથે સંબંધોને પણ મજબૂત બનાવે છે. તે પ્રાદેશિક સ્થિરતા અને આર્થિક એકીકરણને પણ પ્રોત્સાહન આપે છે.

ભારતીય ડાયસ્પોરા પીએમ મોદીની આતુરતાથી રાહ જુએ છે. તેમાં એવા કલાકારો પણ છે જે પીએમ મોદીની સામે પ્રદર્શન કરશે. ભારતીય મૂળના પ્રદીપ બત્રાએ કહ્યું કે તેઓ દસ વર્ષ પછી પીએમ મોદીને રૂબરૂ જાશે. તેમણે તેમને ૨૦૧૫ માં રૂબરૂ જોયા હતા અને ત્યારથી તેમની રાહ જોઈ રહ્યા છે. મલેશિયાના વડા પ્રધાન અનવર ઇબ્રાહિમ પણ તેમની સાથે હાજર રહેશે. તેમણે કહ્યું, “અમે ઉત્સાહિત છીએ, અને આ બધા ભારતીયો માટે આનંદ અને ગર્વની ક્ષણ હશે.” એક નૃત્ય જૂથના નિર્દેશક કલ્પના પણ પીએમ મોદીને જોવા માટે ઉત્સાહિત છે. દસ વર્ષ પહેલાં, તે તે જૂથનો ભાગ હતી જેણે ભારતીય વડા પ્રધાન સમક્ષ ભારતીય સંસ્કૃતિનું ઝીણવટભર્યું પ્રદર્શન રજૂ કર્યું હતું. તેમણે કહ્યું, “મલેશિયાને પીએમ મોદી પ્રત્યે અપાર પ્રેમ છે અને તેઓ તેમનું સ્વાગત કરવા આતુર છે.”

મલેશિયામાં ભારતીય મૂળની વસ્તી મોટી છે. આ મુલાકાત દરમિયાન, વડા પ્રધાનના સ્વાગત માટે એક વિશાળ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જેમાં શાસ્ત્રીય અને લોક કલાકારો દ્વારા પ્રદર્શન કરવામાં આવશે. ૮૦૦ થી ૧,૦૦૦ નર્તકો એક નવો સ્ટેજ રેકોર્ડ બનાવશે.