ખેતીમાં થયેલા પાક નુકસાનમાં રાહત મેળવવા ખેડૂતોની માંગ
ભેસાણ, તા.૨૧
રાજયમાં છેલ્લા પડેલા ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું અને ખેડૂતોના પાકને નુકસાન થયું છે. તેમજ ભેસાણ તાલુકામાં થયેલ ભારે વરસાદને પગલે ખેડૂતોને પાકમાં ખૂબ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે પાક અને ખેતીવાડીમાં થયેલ નુકસાન સંદર્ભે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલને ખેડૂતોને આર્થિક સહાય પેકેજ માટેની રજૂઆત કરતા ભેસાણ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રેખાબેન શીલુએ નુકસાનીનો સર્વે કરી સહાય આપવા રજૂઆત કરી છે.