મંગળવારે રાત્રે ભારતીય સેના અને વાયુસેનાએ પાકિસ્તાનમાં ૯ આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા અને તેમને નષ્ટ કરી દીધા હતા. આ સ્થળોમાં પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકનું પૈતૃક ગામ સિયાલકોટનો પણ સમાવેશ થાય છે. ત્યારે એ જાણી લઈએ કે શોએબના ગામમાં હવાઈ હુમલો કેમ થયો.

ભારતે પ્રેસ રિલીઝમાં કહ્યું કે પાકિસ્તાન અને  પીઓકેમાં કુલ ૯ સ્થળોએ હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા, તેને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું હતું. આ તે સ્થળો હતા જ્યાંથી ભારતમાં આતંકવાદ ફેલાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. ભારતે એ પણ સ્પષ્ટ કર્યું કે આ હુમલામાં કોઈપણ પાકિસ્તાની લશ્કરી જગ્યાને નિશાન બનાવવામાં આવી નહોતી. આમાં કોઈ પાકિસ્તાની નાગરિકો પણ મૃત્યુ પામ્યા નથી.

ભારતીય સેનાએ એક પ્રેસ કોન્ફરન્સમાં હુમલા વિશે માહિતી આપી છે. કર્નલ સોફિયા કુરેશીએ હવાઈ હુમલામાં નિશાન બનાવવામાં આવેલા સ્થળો વિશે જણાવ્યું. તેમણે કહ્યું, “પહેલું લક્ષ્ય સિયાલકોટમાં સરજલ કેમ્પ હતું, જે આંતરરાષ્ટ્રીય સરહદથી ૬ કિમી દૂર છે. માર્ચ ૨૦૨૫માં આ કેમ્પમાં તાલીમ પામેલા આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીર પોલીસ કર્મચારીઓની હત્યા માટે જવાબદાર હતા. બીજું લક્ષ્ય સિયાલકોટમાં મહમુદા જયા કેમ્પ હતું, જે આંતરરાષ્ટ્રીય સરહદથી ૧૮ થી ૧૨ કિમી દૂર સ્થિત છે. તે હિઝબુલ મુજાહિદ્દીનનો એક મોટો કેમ્પ હતો અને કઠુઆ-જમ્મુ ક્ષેત્રમાં આતંકવાદ ફેલાવવાના કેન્દ્ર તરીકે કામ કરતો હતો.”

તમને જણાવી દઈએ કે શોએબ મલિકનું પૈતૃક ગામ સિયાલકોટ છે. શોએબનો જન્મ ૧ ફેબ્રુઆરી ૧૯૮૨ના રોજ સિયાલકોટમાં એક પંજાબી રાજપૂત પરિવારમાં થયો હતો. તેમના પિતા ફકીર હુસૈનની જૂતાની દુકાન હતી.

શોએબ મલિકે તેની પહેલી પત્નીથી છૂટાછેડા લીધા બાદ ૨૦૧૦માં ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સાથે લગ્ન કર્યા. બંનેના લગ્ન હૈદરાબાદમાં થયા હતા. જ્યારે લગ્નનું રિસેપ્શન શોએબના વતન સિયાલકોટમાં આવેલા ગામમાં થયું હતું. વલીમા એ ઇસ્લામમાં લગ્નનો એક તહેવાર છે જે નિકાહ પછી યોજાય છે. બંનેને એક દીકરો પણ છે. શોએબ મલિક અને સાનિયા મિર્ઝા લગભગ ૧૪ વર્ષના લગ્નજીવન પછી અલગ થઈ ગયા. જાન્યુઆરી ૨૦૨૪માં સાનિયાના પરિવાર દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી હતી. આ મહિને શોએબ મલિકે ટીવી અભિનેત્રી સના જાવેદ સાથે લગ્ન કર્યા, જે મલિકના ત્રીજા લગ્ન છે.