વિશ્ર્વમાં ભવિષ્યના યુદ્ધ હવાઈ તાકાત પર જ લડાશે તે હાલ ઈઝરાયેલનાં હમાસ-હિઝબુલ્લાહ સામેના ઓપરેશનથી સ્પષ્ટ થાય છે અને ભાત ખાસ કરીને ચીન અને પાકિસ્તાન જેવા બે સક્ષમ દુશ્મનોનો સામનો કરી રહ્યું છે તે સમયે ભારતીય હવાઈ દળનાં વડા એરમાર્શલ અમરપ્રિતસિંહે ચેતવણીનાં સ્વરમાં કહ્યું કે ૧૯૬૫ બાદ ભારતીય હવાઈ દળની લડાયક તાકાત સૌથી ઓછી થઈ છે.
દેશની હવાઈ સેનાને એક સમયે સોવીયેત સંઘ દ્વારા પુરા પડાયેલા મીગ-સહીતનાં વિમાનો હવે તેની આયુ મર્યાદા પુરી કરીને નિવૃત થઈ રહ્યા છે. પરંતુ તેમનું સ્થાન લઈ શકે અને આધુનીક ટેકનોલોજી ધરાવતાં વિમાનોની પૂર્તિમાં વિલંબ થઈ રહ્યો છે.
તેઓએ દેશમાં જ હળવા લડાયક વિમાનોનાં ઉત્પાદનને મલ્ટીરોલ ફાઈટર વિમાનોની આવશ્યકતામાં ઝડપથી આગળ વધવાનું
આભાર – નિહારીકા રવિયા જરૂરી હોવાનું જણાવ્યુ હતું. હવાઈ દળના વડા એરમાર્શલ અમરજીતસિંહે હાલમાં જ તેમનાં આ હોદાનો ચાર્જ સંભાળ્યો છે.
તેઓએ કહ્યું કે નવા લડાયક વિમાનોની ખરીદીમાં સમય લાગી રહ્યો છે અને બાદમાં તાલીમ આપવામાં વધુ સમય જરૂરી બનશે જેના કારણે ભારતની ફાઈટર પ્લેનની ૧૯૬૫ ના સમયથી પણ ઓછી થઈ છે. જાકે તેઓએ કહ્યું કે હાલ હવાઈ દળ પાસે છે તેનાથી તે લડવા પ્રતિબદ્ધ છે અને અમારૂ યાન હાલ હવાઈ દળ પાસે જ ક્ષમતા છે.અને જે વર્કફોર્સ છે તેનો શ્રેષ્ઠ ઉપયોગ પર કેન્દ્રીત થયુ છે.
ભારતીય હવાઈ દળની માન્ય લડાયક સંખ્યા ૪૨ સ્કવોડની છે.ઘણા ખરા તે ૩૨ સ્કોવર્ડનમાંજ છે અને પડકારો વધ્યા છે તેની લડાયક વિમાનો મોટી સંખ્યામાં નિવૃત થઈ રહ્યા છે. તેઓએ કહ્યું કે દેશમાં લડાયક વિમાનોનું ઉત્પાદન ખુબ જ ધીમુ નિશ્ર્ચિત સમયથી પાછળ ચાલી રહ્યું છે. જેને ઝડપી બનાવવુ જરૂરી છે.
તેની સાથે મલ્ટીરોલવાળા આધુનિક ફાઈટર વિમાનોની જરૂરીયાતની આવતી કાલે જ (ખુબ જ જલ્દી) છે પણ તેના પર કોઈ નિર્ણય લેવાયો નથી. હવાઈ દળે ૨૦૧૮ માં મેક-ઈન-ઈન્ડીયા યોજના હેઠળ ૧૧૪ મલ્ટીરોલ ફાઈટર વિમાનોની ખરીદીની પ્રક્રિયા શરૂ કરી પણ છ વર્ષમાં તેમાં કંઈ પ્રગતિ થઈ નથી.
હવાઈ દળ વડાએ કહ્યું કે લડાયક વિમાનોની જે ઘટ છે તે દર્શાવે છે કે આપણે રાતોરાત ખરીદી કરી શકીએ નહિં. લડાયક વિમાનોને સ્કવોડનમાં સામેલ કરવામાં સમય લાગે છે. પ્રથમ તો આપણી જરૂરીયાત મુજબ પસંદગીની પ્રક્રિયા પણ લાંબી છે અને તેનો ઉપયોગ કરવા માટે ટ્રેનીંગ-વિ. પણ જરૂરી છે. જાકે હાલ જે ઉપલબ્ધ છે તેનાથી લડવા માટે સક્ષમ છીએ.
હાલ હવાઈ દળ પાસે ૩૧ સ્કવોર્ડન છે. જે ૧૯૬૫ બાદની સૌથી ઓછી છે. ૧૯૯૬ માં ૪૧ સ્કવોડન સુધી તાકાત પહોંચી હતી જે ૨૦૧૩ માં ઘટીને ૩૫ થઈ ગઈ હતી અને તેમાં ઘટાડો થઈ રહ્યો છે. ૧૯૭૧ ના યુદ્ધ લડનાર મીગ-૨૧ હજુ પણ વાપરવા પડે છે પણ નિવૃત કરી શકાતા નથી. તેઓએ ભુતકાળમાંથી બોધપાઠ લેવાની જરૂર દર્શાવી હતી.