કોડીનારમાં જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ખાતે બેંક ઓફ બરોડાના ૧૧૫મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેને લઈ બેંક ઓફ બરોડા દેવળી (છારા ઝાપા)શાખા દ્વારા દિવ્યાંગ બાળકોના લાભાર્થે શુદ્ધ પીવાના પાણી માટે આર.ઓ. સિસ્ટમ ભેટ આપવામાં આવી હતી. આ તકે શાખા બ્રાન્ચ મેનેજર લોકેશકુમાર મલીક, ઇલાબેન વાઢેર, એકનાથ જય, ઉપલભાઇ મુખોપાધ્યાય, ગૌરવભાઇ ડાંગર, નિખિલભાઇ ચૌહાણ, નવનીતભાઈ ઉપાધ્યાય, કમલેશભાઈ, દીપકભાઈ, હિતેશભાઈ, મહેશભાઈ સહિતે સંસ્થા ખાતે ઉપસ્થિત રહી સંસ્થાના મંત્રી આરીફભાઇ ચાવડાની હાજરીમાં આરઓ સિસ્ટમને સમર્પિત કરી હતી.