બીજુ પટનાયક વિશે ભાજપના સાંસદ નિશિકાંત દુબેની ટિપ્પણી પર વિવાદ વધી રહ્યો છે. હવે, બીજુ પટનાયકના પુત્ર અને ઓડિશાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયકે ભાજપના સાંસદના નિવેદન પર ભારે નારાજગી વ્યક્ત કરી છે અને તેની સખત નિંદા કરી છે. પોતાની નારાજગી વ્યક્ત કરતા, બીજુ જનતા દળના વડા નવીન પટનાયકે કહ્યું કે ટિપ્પણી કરનાર સાંસદને કદાચ ખબર નહીં હોય કે વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ ચીન સાથેના સંઘર્ષ દરમિયાન બીજુ પટનાયકને રણનીતિ બનાવવામાં મદદ કરવા માટે દિલ્હીમાં તેમના પોતાના કાર્યાલય પાસે એક કાર્યાલય આપ્યું હતું, જ્યારે તેઓ ઓડિશાના મુખ્યમંત્રી હતા.
ભુવનેશ્વરમાં મીડિયા સાથે વાત કરતા નવીન પટનાયકે કહ્યું, “બીજુ બાબુ વિશે કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીઓ સાંભળીને મને આઘાત લાગ્યો છે. મને નથી લાગતું કે તેઓ જાણે છે કે ચીન સાથેના યુદ્ધ દરમિયાન, તત્કાલીન વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ બીજુ પટનાયકને રણનીતિ બનાવવામાં મદદ કરવા માટે દિલ્હીમાં તેમના કાર્યાલય પાસે એક કાર્યાલય આપ્યું હતું, જ્યારે તેઓ તે સમયે ઓડિશાના મુખ્યમંત્રી હતા.”
તેમણે કહ્યું, “હું તે સમયે લગભગ ૧૩ વર્ષનો હતો, પરંતુ મને સારી રીતે યાદ છે કે બીજુ બાબુ ચીની હુમલાથી કેટલા ગુસ્સે હતા અને તેને રોકવા માટે તેમણે કેટલા પ્રયત્નો કર્યા હતા.” આવા બેજવાબદાર નિવેદનો આપવા બદલ તે સાંસદને મનોચિકિત્સકને મળવાની જરૂર છે.
ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ ૨૭ માર્ચે એક નિવેદનમાં દાવો કર્યો હતો કે અમેરિકાએ ૧૯૬૦ના દાયકામાં તિબેટમાં સૈનિકો અને ઝ્રૈંછ એજન્ટો મોકલ્યા હતા કારણ કે તેને ડર હતો કે ચીન તિબેટને કબજે કરી લેશે. દલાઈ લામા અને તેમના ભાઈ અમેરિકન સરકાર સાથે સતત સંપર્કમાં હતા. પંડિત નેહરુએ આખું યુદ્ધ અમેરિકાના પૈસા અને ઝ્રૈંછના ટેકાથી લડ્યું હતું. ઓડિશાના મુખ્યમંત્રી બીજુ પટનાયક, જે તે સમયે અમેરિકા, ઝ્રૈંછ અને નેહરુ વચ્ચેની કડી હતા.
ઓડિશાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બીજુ પટનાયક વિરુદ્ધ કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં બીજુ જનતા દળના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સસ્મત પાત્રાએ સંચાર અને માહિતી ટેકનોલોજી અંગેની સંસદીય સ્થાયી સમિતિમાંથી રાજીનામું આપ્યું. શનિવારે રાજ્યસભાના અધ્યક્ષને લખેલા પત્રમાં પાત્રાએ જણાવ્યું હતું કે, “વિરોધ અને સિદ્ધાંતના ભાગ રૂપે, હું નિશિકાંત દુબેની અધ્યક્ષતા હેઠળની સંચાર અને માહિતી ટેકનોલોજી પરની સંસદીય સ્થાયી સમિતિમાંથી રાજીનામું આપી રહ્યો છું. હું એવા વ્યક્તિ હેઠળ સેવા આપી શકતો નથી જે સ્વર્ગસ્થ બીજુ પટનાયક વિશે અપમાનજનક ટિપ્પણી કરે છે, જેમ તેમણે આજે જાહેર નિવેદનમાં કર્યું હતું.”
તાજેતરમાં, ઓડિશા પોલીસની એક ટીમ કાલાહાંડી જિલ્લાના નારલામાં બીજુદ ધારાસભ્ય મનોરમા મોહંતીના નિવાસસ્થાને પહોંચી હતી. તહેસીલદારને ધમકી આપવા બદલ બીજુદ ધારાસભ્યના પતિ સામે કેસ નોંધવામાં આવ્યો છે. બીજુદ ધારાસભ્યએ આરોપ લગાવ્યો કે ઓડિશા પોલીસે તેમની પુત્રી અને ઘરકામ કરનાર સાથે દુર્વ્યવહાર કર્યો.
ઓડિશાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયકે કહ્યું, “ગઈકાલે, વિધાનસભાના એક મહિલા સભ્યના નિવાસસ્થાન પર હુમલો કરવામાં આવ્યો હતો, જે અત્યંત આઘાતજનક અને સંપૂર્ણપણે અલોકતાંત્રિક છે. એક ઘરકામ કરનારને પણ ખેંચીને બહાર કાઢવામાં આવી હતી અને અપમાનિત કરવામાં આવી હતી.” તેમણે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે આવી ઘટનાઓ લોકશાહી પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે જ્યારે આવી ઘટનાઓ બને છે, ત્યારે તે વિચારવા મજબૂર કરે છે કે લોકશાહીમાં શું થઈ રહ્યું છે.