(એ.આર.એલ),પટણા,તા.૨૫
બિહારના અરરિયામાં બીજેપી સાંસદ પ્રદીપ કુમાર સિંહ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન ચાલુ છે. સાંસદના એક નિવેદનને લઈને વિવાદ થયો છે. જેના વિરોધમાં મોટી સંખ્યામાં યુવાનો હાથમાં લાકડીઓ સાથે શહેરના મુખ્ય ચોક ખાતે એકઠા થયા હતા. તેઓએ રસ્તા પર ટાયરો સળગાવીને લગભગ ૫ કલાક સુધી રસ્તો બ્લોક કર્યો હતો. ગુસ્સે ભરાયેલા યુવાનોએ સાંસદ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને સાંસદ પાસેથી માફી માંગવાની માંગ કરી. રસ્તા પર ઉતરી આવેલા રોષે ભરાયેલા યુવાનોએ ભાજપના સાંસદના બેનર અને પોસ્ટર સાથેનો ગેટ તોડી નાખ્યો હતો. ભારે જહેમત બાદ પોલીસે લોકોને હટાવીને જામ હટાવ્યો હતો.
બીજેપી સાંસદ પ્રદીપ કુમાર સિંહે બુધવારે પોતાના વિવાદિત નિવેદન પર સ્પષ્ટીકરણ આપ્યું. સાંસદે કહ્યું કે તેમણે હિંદુઓને એક થવા અને મુસ્લમોને હિંદુમાં પરિવર્તિત ન કરવા કહ્યું હતું. આરજેડીએ તેમના નિવેદન સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે.
રાષ્ટય જનતા દળે પ્રદીપ સિંહના નિવેદનનો વિરોધ કર્યો છે. આરજેડી નેતા અને પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો શેર કરતી વખતે હું દરેક વ્યક્તને ખાતરી આપું છું કે જ્યાં સુધી મારામાં શ્વાસ છે. બિહારને સાંપ્રદાયિકતાની આગમાં ધકેલી દેનાર દરેક વ્યક્તની સામે હું અડગ રહીશ.