અમરેલીના બાબાપુર ગામમાં એસટી બસ આવતી ન હોવાના કારણે લોકોને હાલાકી પડી રહી છે. બસની અનિયમિતતાના કારણે વિદ્યાલયમાં જતા વિદ્યાર્થીઓને, વાંકીયાના ગ્રામજનોને તથા તરવડા મેડી વગેરેના લોકોને સમસ્યાનો સામનો કરવો પડે છે. ખાસ કરીને બાબાપુર રોડ પર હિંસક પ્રાણીઓની અવરજવર રહેતી હોય ખુલ્લા વાહનોમાં મુસાફરી કરવી લોકો માટે જાખમરૂપ છે ત્યારે અમરેલી-જૂનાગઢ રૂટની બસ વાયા બાબાપુર થઇને ચલાવવામાં આવે તેવી ગ્રામજનોમાંથી માંગ ઉઠવા પામી છે.