લાઠી-બાબરા વિસ્તારના ધારાસભ્ય જનકભાઈ તળાવિયાએ અંદાજિત રૂ. ૧૧.૨૧ કરોડના ખર્ચે થનારા બાબરા-વાસાવડ રોડના રિસરફેસિંગ કામગીરીનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય જનકભાઈ તળાવિયાએ જણાવ્યું હતું કે તેમના મતવિસ્તારના વિકાસ માટે તેઓ સતત પ્રયત્નશીલ છે અને આ રોડ ઘણા સમયથી ખરાબ હાલતમાં હોવાથી તેના રિસરફેસિંગની મંજૂરી રાજ્ય સરકાર પાસેથી મેળવવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે રાજ્યની વિકાસશીલ ભાજપ સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં વિકાસના કાર્યોની સરવાણી વહી રહી છે અને લાઠી-બાબરા વિસ્તાર પણ તેમાંથી વંચિત નહીં રહે. સ્થાનિક લોકોએ આ કામગીરી શરૂ થવા બદલ ધારાસભ્યના પ્રયાસોને બિરદાવ્યા હતા