બાબરા તાલુકાના ચમારડી ગામે આગામી તા.૩૧નાં રોજ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ ઉજવાશે. બાબરાનાં ચમારડી ગામે તા.૩૧ ઓકટોબરનાં રોજ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૯મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવશે. સરદાર પટેલની જન્મ જયંતિએ દેશનાં અખંડ ભારતનાં શિલ્પી તથા બંધારણનાં ઘડવૈયા અને સ્વાતંત્ર્ય સેનાનીઓની પ્રતિમાઓનું અનાવરણ કરવામાં આવશે. સાથોસાથ મહાદેવની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. તેમજ ડો.બાબાસાહેબ આંબેડકર, સ્વામી વિવેકાનંદ, સુભાષચંદ્ર બોઝ, મહાત્મા ગાંધી, અશોક સ્તંભ, કેશુભાઈ પટેલ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી, પૃથ્વી સમ્રાટ માંધાતા મહારાજ, શહિદ ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદની પ્રતિમાઓ સ્થાપિત કરાશે. સરદાર પટેલની જન્મ જયંતિએ રાત્રિનાં ૯ કલાકે ડાયરો યોજાશે. ડાયરામાં દેવાયતભાઈ ખવડ, અલ્પાબેન પટેલ, સુખદેવભાઈ ધામેલીયા, લાલુભાઈ માલવિયા સહિતનાં કલાકારો ગીતોની રમઝટ બોલાવશે. આ કાર્યક્રમમાં પધારવા માટે ઉદ્યોગપતિ ગોપાલભાઈ વસ્તરપરા દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
ઉપસ્થીત રહેનાર મહાનુભાવોની યાદી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી, સાંસદ વિનોદ ચાવડા, કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, નારણભાઈ કાછડીયા, પ્રદેશ મહામંત્રી રત્નાકરજી, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, સાંસદ ગોવિંદભાઈ ધોળકીયા, મુકેશભાઈ પટેલ, સાંસદ પરશોતમભાઈ રૂપાલા, ઈફ્કો ચેરમેન દિલીપભાઈ સંઘાણી, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ગોરધનભાઈ ઝડફીયા, સાંસદ ભરતભાઈ સુતરીયા, વિધાનસભાના નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયા, શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોર, કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, ભુપેન્દ્રભાઈ ચુડાસમા, શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા, નરેશભાઈ પટેલ, ડો.પદ્મશ્રી સવજીભાઈ ધોળકીયા, જયેશભાઈ રાદડીયા, હીરાભાઈ સોલંકી, જે.વી.કાકડીયા, જનકભાઈ તળાવીયા, રમેશભાઈ ટીલાળા, કિરીટભાઈ પટેલ, મહેશભાઈ કસવાલા, સુધીરભાઈ વાઘાણી, ભરતભાઈ બોઘરા, અલ્પેશભાઈ ઢોલરીયા, પરેશભાઈ ધાનાણી, પ્રતાપભાઈ દુધાત, જેનીબેન ઠુંમર, લલિતભાઈ વસોયા, કિશોરભાઈ કાનાણી, મનનભાઈ તુમ્બડીયા, યુવરાજસિંહ, મહંત યોગીશ્રી શેરનાથ બાપુ, એસપી સ્વામી, નિર્મળાબા ઉનડબાપુ, ભરતભાઈ પટેલ, દિનશા પટેલ, જયોતિરાદિત્ય જાડેજા, ભૂપેન્દ્રભાઈ પટેલ, રોનકભાઈ પટેલ, એસ.એન. દવે, નંદિતાબેન પટેલ, ઘનશ્યામભાઈ પટેલ, ડો.ભરતભાઈ કાનાબાર, ભરતભાઈ ચૌહાણ, બી.એમ. દેસાઈ, વસંતભાઈ મોવલીયા સહિતના મહાનુભાવો હાજર રહેશે.