બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી લી.ની બગસરા શાખાના સભાસદ ચંદુભાઈ હરિભાઈ મહેતા તથા નયનાબેન નવલશંકર વ્યાસનું આકસ્મિક અવસાન થતા તેમના વારસદારોને મંડળી તરફથી બાજપાઈ સહાય નિધિની રકમ રૂ. ૨૫૦૦૦ નો ચેક અર્પણ કરવામાં આવેલ. આ વેળાએ મંડળીના જનરલ એમ.ડી. નિતેશભાઇ ડોડીઆ, એડવાઈઝરી બોર્ડ મેમ્બર હરીભાઈ ભટ્ટી, જનરલ સેક્રેટરી ડી.જી. મહેતા, શાખા સેક્રેટરી હેમેન્દ્ર કટેસીયા સહિતની ઉપસ્થિતિમાં સહાય નિધિનો ચેક ચૂકવવામાં આવેલ તેમ આસિસ્ટન્ટ સેક્રેટરી પ્રવિણસિંહ રાઠોડની યાદી જણાવે છે.