અમરેલીના બગસરામાં એક યુવકને છરી મારીને જાનથી પતાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. બનાવ અંગે તોસીફભાઈ ગફારભાઈ ચોપડા (ઉ.વ.૩૨)એ મોઇન રાજુભાઈ બગીવાળા તથા અમન રફીકભાઈ પબડા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપીઓ સાથે બોલાચાલી થઈ હતી. જે બાબતનું મનદુઃખ રાખી તેઓ ઘાંચી જમાતખાના ખાતે જમવા બેઠા હતા તે વખતે તેમના બંને હાથ પાછળથી પકડી રાખ્યા હતા. ઉપરાંત પોતાની પાસે રહેલ છરી તેમને જાનથી મારી નાખવાના ઇરાદે ગળાના ડાબી બાજુના ભાગે મારી હતી. જેમાં સાત ટાંકાની ઈજા થઈ હતી. તેમજ બન્ને આરોપીઓએ જતા જતા તેમને પતાવી દેવાની ધમકી આપી હતી. બગસરા પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.ડી. સાળુંકે વધુ તપાસ કરી રહ્યા છે.