અમરેલીના કાઠમા ગામે રહેતી એક પરિણીતાના લગ્ન રાજકોટના યુવક સાથે થયા હતા. લગ્ન બાદ સાસરિયા દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો. નિધીબેન જયદિપભાઇ ચાવડા (ઉ.વ.૨૪)એ જયદીપભાઇ કાંતિભાઇ ચાવડા, કાંતિભાઇ ભીખાભાઇ ચાવડા, મંજુબેન કાંતિભાઇ ચાવડા, વૈશાલીબેન કાંતિભાઇ ચાવડા, ઉર્મિલાબેન કાંતિભાઇ ચાવડા તથા મામાજી પ્રવીણભાઇ દેવાયતભાઇ ભાસ્કર સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમના પતિ તેમની ઉપર શંકા કુશંકા કરી ફોન ચેક કરતા હતા. તેમના સાસુ તથા સસરા તના પતિને કહેતા કે નિધે ફોનમાં જ રહે છે કાંઇ કામ કરતી નથી અને બન્ને નંણદો તથા સાસુ કામ બાબતે મેણા ટોણા મારી, ગાળો આપતા હતા. તેમજ મામાજી પ્રવિભાઇ ફોન કરીને તેના પતિને ચઢામણી કરતા હતા.