લીલીયા તાલુકાના પૂંજાપાદર ગામે ગઈકાલે ગોવિંદભાઈ રાતડીયાના ઝોકમાં ઘેટા બકરા પર દીપડાએ હુમલો કરેલ, જેમાં ૧૯ના મોત અને ૫ જેટલા ઘેટા બકરાને ઈજા થયેલ. આ ઘટનાની જાણ ધારાસભ્ય મહેશભાઈ કસવાલાને થતા તેમણે માલધારી ગોવિંદભાઈ રાતડીયાને મળી સાંત્વના પાઠવીને દુઃખ વ્યક્ત કરેલ. તેમણે સ્થળ પરથી જ પૂરતી અને ઝડપથી સરકારી સહાય મળે તે માટે વન વિભાગના અધિકારીઓને સૂચના આપેલ. આ તકે તાલુકા ભાજપ પ્રમુખ જીગ્નેશ સાવજ, વિપુલભાઈ દુધાત, ભીખાભાઈ ધોરાજીયા, ભનુભાઈ ડાભી, સરપંચ ગોરધનભાઈ વેકરીયા, ઘનશ્યામ મેઘાણી, બાલાભાઈ ભરવાડ વગેરે ઉપસ્થિત રહેલ તેમ ઈમરાન પઠાણની અખબારી યાદીમાં જણાવેલ છે.