અમદાવાદમાં વિમાન દુર્ઘટનાને કારણે આખો દેશ શોકમાં છે.અમદાવાદમાં વિમાન દુર્ઘટના સ્થળે આજે પીએમ મોદી પહોંચ્યા હતાં અહીં તેઓ લગભગ ૧૦ મિનિટ રોકાયા હતા અને ઘટના સ્થળના દ્શ્યો જોયા હતાં અને ત્યારબાદ તેઓ ,સિવિલ હોસ્પિટલ ગયા હતાં અને આ દુર્ઘટનામાં ઘાયલોને મળ્યા હતાં.વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને ગૃહરાજય મંત્રી હર્ષ સંધવી તથા ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં હતાં હોસ્પિટલમાં મોદીએ ઇજા પામેલાઓના ખબર અંતર પુછયા હતાં મોદીએ આ દુર્ધટનામાં બચી ગયેલા વિશ્વાસકુમારની પણ મુલાકાત લીધી હતી અને આ ઘટના કેવી રીતે બની તેની માહિતી મેળવી હતી.
અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કર્યા પછી તરત જ, પીએમ મોદી મેઘાણીનગર અકસ્માત સ્થળે પહોંચ્યા. તેમણે અહીં વિમાન ક્રેશ થયા પછીની પરિસ્થિતિ જાણી. આ દરમિયાન પીએમ મોદી ખૂબ જ ગંભીર અને ઉદાસ દેખાતા હતા. પીએમ મોદીએ વિમાન ક્રેશ થયા પછી જે ઇમારતોમાં આગ લાગી હતી તે જોઈ. પછી પીએમ મોદી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતાં વિમાન દુર્ઘટનામાં ઘાયલોની સારવાર સિવિલ હોસ્પિટલમાં જ થઈ રહી છે. પીએમ મોદી ઘાયલોની હાલત જાણવા માટે અહીં આવ્યા હતાં. પીએમ મોદી સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હતાં વડાપ્રધાન મોદીએ ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની મુલાકાત કરી હતી અને તેમને સાંત્વના આપી હતી. આ દુર્ઘટનામાં વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું.
એ યાદ રહે કે ગુરુવારે બપોરે અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું વિમાન ટેક-ઓફ કર્યા પછી ક્રેશ થયું. અકસ્માત સમયે વિમાનમાં બે પાઈલટ અને ૧૦ કેબિન ક્રૂ સહિત ૨૪૨ લોકો સવાર હતા જેમાંથી મોટાભાગના મુસાફરોના મૃત્યું થયું હતાં આ દુર્ધટનામાં ઓછામાં ઓછા પાંચ એમબીબીએસ વિદ્યાર્થીઓ, એક પીજી રેસિડેન્ટ ડાક્ટર અને બીજે મેડિકલ કોલેજ અમદાવાદના સુપરસ્પેશિયાલિસ્ટ ડાક્ટરની પત્નીનું પણ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. જોકે, આ બધાની વધુ વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશને પણ દાવો કર્યો છે કે આ અકસ્માતમાં ૬૦થી વધુ મેડિકલ વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. એફએઆઇએમએએ કહ્યું છે કે જ્યારે આ અકસ્માત થયો ત્યારે બપોરના ભોજનનો સમય હતો. મોટાભાગના વિદ્યાર્થીઓ અને રેસિડેન્ટ ડોકટરો બપોરના ભોજન માટે સ્થળ પર હતા. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનએ પણ અકસ્માત પર ઊંડી શોક વ્યક્ત કરી છે.
હાલમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે ૭૦ થી ૮૦ ડોક્ટર્સની ટીમ ગઈકાલથી ખડે પડે તૈનાત જોવા મળી છે. અત્યાર સુધીમાં ઓળખ થઈ ગયેલા પાંચ મૃતદેહને તેમના પરિવારજનોને સન્માનભેર સોંપવામાં આવ્યા છે. એર ઇન્ડિયાના અમદાવાદથી લંડન જતાં વિમાનની સર્જાયેલી કમનસીબ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓનો મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા પોસ્ટ મોર્ટમ રૂમમાં લાવવામાં આવી રહ્યા છે.
આ પોસ્ટ મોર્ટમ રૂમમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદના પીએસસી અને સીએસસીના ડોક્ટર્સ, અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સની તેમજ તેમની ટીમ સહિત ૭૦ થી ૮૦ ડોક્ટર્સ ગઈકાલથી ખડે પડે કાર્ય કરી રહ્યા છે. આ પોસ્ટ મોર્ટમ રૂમમાં મૃતદેહની ઓળખ થયા બાદ આ મૃતદેહને પરિવારજનો તેમજ તેમના સગાઓને સન્માનભેર સોપવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ઓળખ થઈ ગયેલા એવા પાંચ મૃતદેહને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. આ મૃતદેહમાં ૨ રાજસ્થાન, ૨ ભાવનગર અને ૧ મધ્યપ્રદેશના મૃતકનો સમાવેશ થાય છે.આમ, પોસ્ટ મોર્ટમ રૂમમાંથી જેમ જેમ પરિવારો મૃતદેહની ઓળખ કરી રહ્યા છે તેમ તેમ આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરીને આ બધી માહિતી આપી છે. આ સાથે, તેમણે ઘટના સ્થળની કેટલીક તસવીરો શેર કરી છે. મોદીએ ટીવટર પર કહ્યું, ‘આજે અમદાવાદમાં અકસ્માત સ્થળની મુલાકાત લીધી. વિનાશનું દ્રશ્ય દુઃખદ છે. ઘટના પછી અથાક મહેનત કરી રહેલા અધિકારીઓ અને ટીમોને મળ્યા. આ અકલ્પનીય દુર્ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનારાઓ સાથે અમારી સંવેદના છે.’ વડાપ્રધાને અમદાવાદમાં મોદીએ એક બેઠક કરી હતી જેમાં દુર્ઘટના બાદ થઇ રહેલ રાહત તથા બચાવની કામગીરી અંગે માહિતી મેળવી હતી. તેમણે રાહત તથા બચાવની કામગીરીને લઇને કેટલાક સુચનો પણ કર્યા હતાં. પોતાના સપનાની ઉડાન ભરવા નીકળ્યા હતા પણ એ ઉડાન છેલ્લી ઉડાન બનશે એવું કોને ખબર હતી. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં આખો પરિવાર સાફ થઈ ગયો, લંડનમાં નવી જિંદગી શરૂ કરવાનો હતો રાજસ્થાનના બાંસવાડાનો પરિવાર. નોકરીમાંથી રાજીનામું આપી આખો પરિવાર લંડન સેટલ્ટ થવા જઈ રહ્યો હતો. પરંતુ પરિવારના ૧૩ લોકો મોતને ભેટ્યા.અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં આગરા દંપતી હાજર હતું. આ દંપતી નીરજ લાવણિયા અને અપર્ણા લાવણિયા હતા, જે આગ્રાના અકોલાના રહેવાસી હતા. વિમાનમાં હાજર નીરજ લાવાણિયા અમદાવાદના વડોદરા શહેરમાં ખાનગી નોકરી કરતો હતો. તેની પત્ની પણ નોકરી કરતી હતી. તે તેની પત્ની સાથે લંડન પ્રવાસે જઈ રહ્યો હતો.