પાકિસ્તાનમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આશ્ચર્યજનક ઘટનાક્રમમાં, નેશનલ એસેમ્બલીની એક સમિતિને માહિતી આપવામાં આવી હતી કે દેશમાં ૨૨,૦૦૦ થી વધુ અમલદારો બેવડી નાગરિકતા ધરાવે છે. બેવડી નાગરિકતા સાથે જાડાયેલી માહિતી સામે આવ્યા બાદ પાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષાને લઈને ચિંતા વધી ગઈ છે. નેશનલ એસેમ્બલી એ પાકિસ્તાની સંસદનું નીચલું ગૃહ છે.
એક્સપ્રેસ ટ્રિબ્યુન અખબાર અનુસાર, આંતરિક બાબતોથી સંબંધિત નેશનલ એસેમ્બલીની બેઠક રાજા ખુર્રમ નવાઝની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં સભ્યોએ આ પ્રથા પર ચિંતા વ્યક્ત કરી હતી અને ખાસ કરીને અમલદારો, ન્યાયાધીશો અને સાંસદો માટે આ પ્રથા પર પ્રતિબંધ મૂકવા માટે કડક પગલાં લેવાની માંગ કરી હતી.
આ બેઠકમાં પ્રસ્તાવિત કાયદા અંગે ચર્ચા કરવામાં આવી હતી જેના હેઠળ પાકિસ્તાની પાસપોર્ટ એવા દેશોના નાગરિકોને આપવામાં આવશે જેની સાથે પાકિસ્તાનની બેવડી નાગરિકતા કરાર છે. મીટિંગ દરમિયાન બહાર આવ્યું કે લગભગ ૨૨,૦૦૦ નોકરિયાતો પાસે બેવડી નાગરિકતા છે.
સમિતિના સભ્ય અબ્દુલ કાદિર પટેલે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે નેશનલ એસેમ્બલીના સભ્યો અને ન્યાયાધીશો માટે બેવડી નાગરિકતા પ્રતિબંધિત છે, જ્યારે અમલદારો માટે આવો કોઈ પ્રતિબંધ નથી. તેમણે પ્રસ્તાવ મૂક્યો હતો કે બેવડી નાગરિકતા ધરાવતી વ્યક્તિઓને અમલદાર તરીકે નિયુક્ત કરવામાં ન આવે તે સુનિશ્ચિત કરવા માટે બિલમાં જાગવાઈ સામેલ કરવી જાઈએ.
પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) આગા રફીઉલ્લાએ બેવડી નાગરિકતા ધરાવતા પાકિસ્તાની નાગરિકોના વિગતવાર આંકડા માંગ્યા હતા, જેમાં કેટલાએ તેમની વિદેશી નાગરિકતાનો ત્યાગ કર્યો છે. અખબારના અહેવાલ મુજબ, સમિતિના સભ્યએ ટોચની ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થા દ્ગછમ્ (નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો) ના અધ્યક્ષનું ઉદાહરણ ટાંકીને બેવડી નાગરિકતાના નિયમોમાં છૂટછાટ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.