મુંબઈ આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ અને લશ્કર-એ-તૈયબાનો ઓપરેશન કમાન્ડર ઝકી-ઉર-રહેમાન લખવી પાકિસ્તાનમાં આઝાદીથી ફરે છે. તેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં એક વીડિયોમાં તે પાર્કમાં જિમ સેશનમાં સરળતાથી ભાગ લઈ રહ્યો છે. જા કે, વીડિયોની ચોક્કસ તારીખ અને સ્થળ હજુ સ્પષ્ટ થયું નથી. તે જ સમયે, ઝકી-ઉર-રહેમાન લખવી વિશે ઘણા મીડિયા અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે તેણે પોતાનો લુક બદલ્યો છે.
અગાઉ જ્યારે આતંકવાદી ઝકી-ઉર-રહેમાન લખવીને ઈસ્લામાબાદ કોર્ટમાં જાવામાં આવ્યો હતો ત્યારે તે લાંબી દાઢી સાથે જાવા મળ્યો હતો. આ કારણે એવું માનવામાં આવે છે કે સંયુક્ત રાષ્ટ્ર અને અમેરિકા દ્વારા આતંકવાદી જાહેર કરાયેલ લખવી પાકિસ્તાનની જેલમાંથી બહાર છે. વાસ્તવમાં, લગભગ ત્રણ વર્ષ પહેલા, લાહોરની એક આતંકવાદ વિરોધી અદાલતે વર્ષ ૨૦૨૧ માં આતંકવાદી ધિરાણના કેસમાં તેને પાંચ વર્ષની જેલની સજા સંભળાવી હતી અને તેના પર દંડ પણ લગાવ્યો હતો.
ભારત અને અમેરિકાએ લખવી પર ૨૦૦૮ના મુંબઈ આતંકી હુમલાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા ૧૬૦ લોકો માર્યા ગયા હતા. જાકે, પાકિસ્તાને મુંબઈ હુમલામાં લખવીની સંડોવણીનો લાંબા સમયથી ઈન્કાર કર્યો હતો. પરંતુ નાણાકીય કટોકટી અને ફાઇનાન્સીયલ એક્શન ટાસ્ક ફોર્સની ગ્રે લિસ્ટમાં તેના સમાવેશ પછી, પાકિસ્તાને તેને જેલમાં મોકલવાની ફરજ પડી હતી. ત્યારથી તે ઘણી વખત પાકિસ્તાનની સડકો પર મુક્તપણે ફરતો જાવા મળ્યો છે.
અનેક અવસરો પર ભારતે પાકિસ્તાનને લશ્કર-એ-તૈયબાના ઓપરેશન કમાન્ડરનું પ્રત્યાર્પણ કરવા કહ્યું હતું, પરંતુ પાકિસ્તાને અત્યાર સુધી કહ્યું છે કે તે મુંબઈ હુમલા સાથે સંકળાયેલા તેના કોઈપણ નાગરિકને ભારતને સોંપશે નહીં. ઈસ્લામાબાદે એમ પણ કહ્યું છે કે આવા વ્યક્તિઓ પર પાકિસ્તાની કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.