અમરેલી જિલ્લાના લોકો વેપાર-ધંધા માટે મોટી સંખ્યામાં ડાયમંડ નગરી તરીકે ઓળખાતા સુરતમાં સ્થાયી થયા છે. પ્રસંગોપાત આ લોકો માદરે વતન પધારતાં હોય છે. આ દરમિયાન દુધાળા ચેક પોસ્ટ પરથી સુરતના કામરેજનો રહેવાસી નશાની હાલતમાં સર્પાકાર ફોરવ્હીલ ચલાવતાં મળી આવ્યો હતો. કામરેજમાં રહેતા અને હીરાકામ કરતા જીગ્નેશભાઈ ઉકાભાઈ બોરસાણીયા (ઉ.વ.૩૯) વગર પાસ પરમીટે કેફી પીણું પીધેલી હાલતમાં સુરત પાસિંગની કારને સર્પાકાર ચાલાવતાં મળી આવ્યો હતો. ધારી પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. એ.ટી.ચૌધરી વધુ તપાસ કરી રહ્યા છે.