ધોરાજી ખાતે રેડક્રોસ દિવસ અને થેલેસેમીયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રેડક્રોસ સોસાયટી રાજ્ય શાખા ચેરમેન અજયભાઈ પટેલે રેડક્રોસ રથનું તાલુકા જિલ્લા શાખા મથકે પ્રસ્થાન કરાવ્યું હતું. જે રથ ધોરાજી ખાતે આવેલ અને રથનું ભવ્યતાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ધોરાજી રેડક્રોસ શાખાના પ્રકાશભાઈ ગાલોરિયા દ્વારા રથને પુષ્પથી સ્વાગત કરાયું હતું.