ધોરાજી તાલુકાના છત્રાસા ગામ ખાતે ગૌચર જમીન પર થયેલાં દબાણો દૂર કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લાના કલેક્ટર પ્રભાવ જોશીના માર્ગદર્શન હેઠળ ડેપ્યુટી કલેક્ટર નાગાર્જુન તરખાલાએ છેલ્લા ૨૦ દિવસથી શહેર અને તાલુકામાં દબાણ હટાવની ઝુંબેશ હાથ ધરી છે. કાર્યવાહીના ભાગરૂપે, ગ્રામ પંચાયત છત્રાસામાં સર્વે નંબર ૫૦૩ પૈકીની જમીનમાં કુલ ૧,૧૮,૪૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ખેતી અને બાંધકામ માટેનાં દબાણ દૂર કરવામાં આવ્યા છે. આ જમીનની અંદાજિત બજાર કિંમત રૂપિયા ૩ કરોડ ૭૦ લાખ થાય છે.