ધારી તાલુકા પ્રાથમિક શિક્ષકસંઘ દ્વારા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય શૈક્ષણિક અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રાજ્ય સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, ઉદ્ઘાટક તરીકે પૂ. કોઠારી સ્વામી અને મહામંત્રી જૈમિનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અધિવેશનમાં પૂ. દિનબંધુદાસ કોઠારી સ્વામી, વિવેકસ્વામી, જિલ્લા સંઘના પ્રમુખ અને રાજ્યના ખજાનચી મહેન્દ્રભાઈ વીંછીયા, આરોગ્ય સમિતિના ચેરમેન અશ્વિનભાઈ કુંજડિયા સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિક્ષક ભાઈઓ-બહેનોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ૨૦૦૫ પહેલાના શિક્ષકોના પેન્શન યોજનામાં સમાવેશ થતાં રાજ્ય સંઘને રૂ. ૧૦.૫૧ લાખનો ફાળો અર્પણ કરવામાં આવ્યો હતો. વિશિષ્ટ ક્ષેત્રમાં યોગદાન આપનાર શિક્ષકોનું સન્માન કરાયું હતું.