ધારી તાલુકાના રામપરા ગામમાં વાડી વિસ્તારમાં અજાણ્યા ભગવાધારી એક સાધુ જેવા જણાતા એક વ્યક્તિના આંટાફેરા જોવા મળતા હતા. ખાસ કરીને રામપરા ગામના વાડી ધરાવતા એક વ્યક્તિને ત્યાં એક ભગવાધારી સાધુની અવરજવર જોવા મળતી હતી. ગામના જ એક વ્નેયક્તિ એકના ડબલ કરવાની લાલચ આપી તેની સાથે તરકીબ અજમાવી હતી. તેમાં પૈસાની લેવડદેવડમાં પણ એકબીજાએ નકલી નોટોની આપ-લે કરી હોવાની પણ વિગતો બહાર આવી છે. ભગવાધારી સાધુ તાંત્રિક વિધિ, એકના ડબલ તેમજ બહારથી મહિલા લાવી દેહ વ્યાપાર જેવી
પ્રવૃત્તિઓ કરી રહ્યાની જાણકારી મળી હતી. સાધુની તપાસ કરતા તેની પાસેથી ગાંજો પણ મળી આવ્યો હતો. સ્થળ પર બધી વિગતો બહાર આવતા લોકોએ કહેવાતા ભગવાધારી સાધુને લમધાર્યો હતો. આખો મામલો પોલીસ સુધી પહોંચતા ચલાલા પોલીસે તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે. જો કે આ મામલે હજુ કોઇ ફરિયાદ દાખલ થઈ નથી. આ સાધુ કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલો છે કે નહી તેની પણ પોલીસ તપાસ કરે તેવી માંગ કરવામાં આવી છે. હાલ તો આ સાધુની લીલાનો કેટલા લોકો ભોગ બન્યા છે તેની પણ તપાસ કરવામાં આવે તે જરૂરી છે.