ધારીના પ્રેમપરામાં ગાળો બોલવાની ના પાડતાં ઢીકાપાટુ મારવામાં આવ્યા હતા તેમજ જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવ અંગે વિજયભાઈ મનુભાઈ સોલંકી (ઉ.વ.૨૪)એ મેહુલભાઈ સુરેશભાઈ ગોરાવા, વિપુલભાઈ બચુભાઈ ગોરાવા, કમલેશભાઈ વિનુભાઈ ગોરાવા, અજયભાઈ વિનુભાઈ ગોરાવા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આરોપીઓ સાહેદ ગીતાબેન સોલંકીના ફળીયામાં ગાળો બોલતા હતા. જેથી તેમણે ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઇને આડેધડ ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ લોખંડના પાઇપના બેથી ત્રણ ઘા વાંસાના ભાગે તેમજ પગમાં માર્યા હતા. તેમજ સાહેદ ગીતાબેન સોલંકીને લાકડીનો એક ઘા ડાબા હાથના ખંભાના ભાગે મારી મુંઢ ઇજા કરી હતી. ઉપરાંત તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ શિવભાઈ કે. મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.