અખંડ હિન્દુસ્તાનની સંસ્કાર, સંસ્કૃતી, અને સમૃદ્ધિ એ સમગ્ર વિશ્વ ને જ્યારે માનવતાના પાઠ   ભણાવતાં હોય, જ્યારે એકતા ના પાઠ ભણાવતાં હોય, જ્યારે સમાનતાના પાઠ ભણાવતાં હોય જ્યારે રાષ્ટ્રપ્રેમ ના રંગે રંગી માનવીય જીવનને રંગીન બનાવતી હોય, જ્યારે ખંભે ખંભો મેળવીને કાર્ય કરવાનું સૂચવતું હોય ત્યારે વિશ્વમા એક માનવતાનુ વટવૃક્ષ ઊભું થાય એ સ્વાભાવિક છે અને વિશ્વમા શાંતિ સ્થાપવા માટે વિશ્વમા હિન્દુસ્તાન નુ અનુકરણ સમગ્ર વિશ્વને કરવું પડે ત્યારે હિન્દુસ્તાન આપોઆપ એક વિશ્વ ગુરુ ની કક્ષા પર પહોંચી જતું હોય છે.
જ્યારે હિન્દુસ્તાન વિશ્વગુરૂ બની રહ્યું હોય અને વિશ્વને સર્વાંગી વિકાસ અને આધ્યાત્મિકતાની સાથે આધુનિકતા નુ શિક્ષણ આપી રહ્યું હોય ત્યારે સ્વાભાવીક છે કે ; અધર્મીઓ ના પેટમાં પાણી હલવા લાગે.  માટે અમુક કહેવાના અધર્મી ઓ ધર્મના નામે ચરીખાતા ઢોંગી ધર્મબાબાઓ  આ હિન્દુસ્તાને પછાડવા માટે.., હિન્દની સંસ્કૃતીને નીચું દેખાડવા માટે ષડયંત્ર કરે છે અને અમુક અંશે પોતાના આ દેશ વિરોધી ષડયંત્રમા સફળ પણ થાય છે.
પર્વતની જેમ આકાશમાં અડીખમ ઊભી અને સાગરની જેમ સર્વને પોતાનામાં સમાવીને માનવ થી માનવ બનવાની વર્ષા બનવા માટે જળ આપતી આપણી સનાતન સંસ્કૃતી વિશે જ્યા સુધી આજના યુવાનો જાણાશે નહિ…, અને વિશ્વમાં તેને પ્રસરાવવા માટે કાર્ય નહી કરે તો આપણી આ અણમોલ, અનંત , અકલ્પનીય સનાતન સંસ્કૃતી આફતમાં આવશે અને જેના ગંભીર અન્યાયી પરીણામો આપણે તેમજ નિર્દોષ માનવોને ભવિષ્યમાં ભોગવવા પડશે.
ગુજરાતની આ ખમીરવંતી ધરા ઉપર  હાલમાં આ જ દેશદ્રોહી  ષડયંત્ર ધર્મપરીવર્તન કરાવી કરવામાં આવી રહ્યું છે. ગુજરાતના અમુક અશિક્ષીત અને પછાત વિસ્તરોમાં આ અધર્મઓ  દ્વારા એક મોટા પ્લાનિંગ સાથે દેશને અંદર થી ખોખલો કરવા માટે ગુજરાત રાજ્ય ના ઘણા વિસ્તરોમાં સાદા સરળ માનવી ને લલચાવી-ભોળવી ને અને જરૂર પડ્યે દબાવી-ડરાવીને પણ હિન્દુ માંથી ધર્મપરીવર્તન કરાવી સનાતન સંસ્કૃતી અને સનાતન ધર્મને તોડવાનુ સૌથી મોટુ ષડયંત્ર ચાલી રહ્યું છે જે,  જોય-જાણી-વિચારીને મારું રક્ત ઉકળે છે.
માટે આજે હું આપ સુધી આ વાત  પહોચાડી સમગ્ર યુવાશક્તિ ને આહવાન કરૂ છુ કે; આવો અને આપડી સર્વશક્તિ શાળી સનાતન સંસ્કૃતી અને આપણી આગવી ઓળખ.., આપણી શક્તિ હિન્દુ ધર્મને ખરા અર્થમાં ફેલાવી સ્ત્યને ઉજાગર કરી  રાષ્ટ્ર નું નવનિર્માણ કરીએ.
હે ભારતના નવ યુવાનો, વિદ્યાર્થીઓ, વંદનીય વડીલો આપણા જીવનનો અમુક સમય સનાતન સંસ્કૃતીને અર્પણ કરો. અધર્મીઓ તમને ત્યાં સુધી જ ડરાવશે જ્યા સુધી તમે ડરશો. હે ભારત ના સનાતનીઓ આપણા ગુજરાતમા..,આપણા રાષ્ટ્રમાં…, રાષ્ટ્ર વિરોધી કૃત્યુ થતું હોઈ . આપણા દેશ વીરોધી ષડયંત્ર રચાતું હોય ત્યારે તેનો ઉગ્ર થી ઉગ્ર વિરોધ કરી અધર્મી ઓ સામે પ્રતિકાર કરી સનાતન સંસ્કૃતીની સ્થાપના કરવી એ આપની ફરજ છે.  જે ધર્મ એ આપણને શાંતી શીખવી છે.  તે જ સનાતન ધર્મ એ અધર્મી ઉપર પ્રહાર કરી ધર્મની સ્થાપના કરવાનું પણ શીખવું છે. આ વાત સદા આપણે યાદ રાખવી જોઇએ. હે મારા સાથીઓ.., આજે ગુજરાતને અને આપણા દેશને આપણી જરૂર છે.  માટે ડરો નહિ.., આપણા સનાતન ધર્મ માટે.., જ્યા રાષ્ટ્ર વિરોધી ષડયંત્ર  ધર્મપરીવર્તન કરાવી થઈ રહ્યું હોય ત્યાં જઈને ફરી ધર્મોની સ્થાપના કરો,  અને ફરી રાષ્ટ્રમા શાંતી સદા સદા માટે સ્થાપીત રહે તેવા મહાભગીરથ કાર્યમા તમારૂ યોગ દાન આપો.
ચાલો સૌ સાથે મળીને આ ચાલતા દેશ વિરોધી ષડયંત્ર ધર્મપરીવર્તન કરી જે કરવામાં આવી રહ્યું છે ; તેને મૂળ માંથી જ નાશ કરીએ. સમાજમાં આપણી સનાતન સંસ્કૃતીની શક્તિ અને ધર્મનુ કાર્ય કોને કહેવાય તેનો ફેલાવો કરીએ. અધર્મીઓ ને જડબાતોડ જવાબ આપી હિન્દુસ્તાનને અખંડ રાખીએ. ધર્મની સ્થાપના માટે અધર્મ નો નાશ કરવો પડે તો કરજો પરંતુ  સત્ય અને ન્યાય ના હિતમાં સનાતન સંસ્કૃતીના હિતમાં કાર્ય કરી ભારતમાં શાંતી સદા માટે સ્થપાય રહે તેવું કાર્ય કરી હિન્દુસ્તાનને વિશ્વ ગુરુ બનાવીએ. વંદેમાતરમ.