દેશમાં કોરોનાના સક્રિય કેસ ૫૦૦૦ ને વટાવી ગયા છે. ૨૨ મેના રોજ, આ આંકડો ૨૭૫ હતો. આવી સ્થિતિમાં, છેલ્લા ૧૫ દિવસમાં કોરોનાના સક્રિય કેસ ૨૦ ગણા વધ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, ભારતમાં સક્રિય કોરોના કેસોમાં કેરળ સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય રહ્યું છે. તે પછી ગુજરાત, પશ્ચિમ બંગાળ અને દિલ્હી આવે છે.
કેસોમાં વધારાને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર કોરોના માટેની તૈયારીઓ તપાસવા માટે મોક ડ્રીલ કરી રહ્યું છે. કોવિડના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને તમામ રાજ્યોને ઓક્સિજન, આઇસોલેશન બેડ, વેન્ટીલેટર અને આવશ્યક દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે. ભારતમાં ૫,૩૬૪ સક્રિય કેસ છે. છેલ્લા ૨૪ કલાકમાં ચાર નવા મૃત્યુ નોંધાયા છે.
સત્તાવાર સૂત્રો અનુસાર, મોટાભાગના કેસ હળવા અથવા એસિમ્પટમેટિક છે. તેમની સારવાર ઘરે કરી શકાય છે, ફક્ત પોતાને અલગ રાખવાની જરૂર છે જેથી તે અન્ય લોકોમાં ફેલાય નહીં. આ વર્ષે જાન્યુઆરીથી કોરોનાને કારણે દેશમાં કુલ ૫૫ મૃત્યુ થયા છે. ૨૨ મેના રોજ, દેશમાં કુલ ૨૫૭ સક્રિય દર્દીઓ હતા.
આ પહેલા ૨ અને ૩ જૂનના રોજ, આરોગ્ય સેવા મહાનિર્દેશક ડા. સુનિતા શર્માની અધ્યક્ષતામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, ઇમરજન્સી મેનેજમેન્ટ રિસ્પોન્સ સેલ, નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ , ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચ , ઇન્ટીગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ , દિલ્હીમાં કેન્દ્ર સરકારની હોસ્પિટલો અને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ સાથે શ્રેણીબદ્ધ ટેકનિકલ સમીક્ષા બેઠકો યોજાઈ હતી, જેમાં વર્તમાન કોરોના પરિસ્થિતિ અને તૈયારીઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
૪ જૂનના રોજ, સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે આઇડીએસપી હેઠળ રાજ્ય અને જિલ્લા સર્વેલન્સ એકમો ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી અને ગંભીર તીવ્ર શ્વસન બીમારીની નજીકથી દેખરેખ રાખી રહ્યા છે. એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું હતું કે માર્ગદર્શિકા મુજબ, બધા દાખલ થયેલા એસએઆરઆઇ કેસો અને ૫ ટકા આઇએલઆઇ કેસ માટે પરીક્ષણની ભલામણ કરવામાં આવે છે આઇસીએમઆર વીઆરડીએલ નેટવર્ક દ્વારા સંપૂર્ણ જીનોમ સિક્વન્સિંગ માટે પોઝિટિવ એસએઆરઆઇ નમૂનાઓ મોકલવામાં આવે છે.