દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. કોરોનાના કેસ ૩ હજારથી ઉપર પહોંચી ગયા છે. ભારતમાં કોરોનાના વર્તમાન કેસ ૩,૩૯૫ છે. કેરળમાં સૌથી વધુ ૧૩૩૬ સક્રિય કેસ છે. મહારાષ્ટ્રમાં ૪૬૭ કેસ છે અને દિલ્હીમાં ૩૭૫ કેસ છે. લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી હતી. રાજ્યો કોરોના અંગે અલગ માર્ગદર્શિકા જારી કરી રહ્યા છે.
દિલ્હીમાં ૩૭૫ કોરોના કેસ નોંધાયા છે જયારે ગુજરાતમાં ૨૬૫ કોરોના કેસ,કર્ણાટકમાં ૨૩૪ કોરોના કેસ,કેરળમાં ૧૩૩૬ કોરોના કેસ, મહારાષ્ટ્રમાં ૪૬૭ કોરોના કેસ,તમિલનાડુમાં ૧૮૫ કોરોના કેસ,પશ્ચિમ બંગાળમાં ૨૦૫ કોરોના કેસ,ઉત્તર પ્રદેશમાં ૧૧૭ કોરોના કેસ નોંધાયા છે
કર્ણાટક સરકારે કોરોના પરિસ્થિતિમાં શાળાઓ ફરી શરૂ કરવા અંગે વાલીઓને ખાસ અપીલ કરી છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, શુક્રવારે મોડી રાત્રે જારી કરાયેલા સરકારી પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે જા શાળાના બાળકોને તાવ, ઉધરસ, શરદી અને અન્ય લક્ષણો જોવા મળે છે, તો બાળકોને શાળાએ ન મોકલો અને ડાક્ટરની સલાહ મુજબ યોગ્ય સારવાર અને સંભાળના પગલાં લો. બાળકોને સંપૂર્ણપણે સાજા થયા પછી જ શાળાએ મોકલવાની સૂચના આપવામાં આવી છે. તે જ સમયે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે મોટાભાગના કોરોના કેસ હળવા છે. આ કોરોના કેસોથી ગભરાવાની જરૂર નથી. કેરળમાં સૌથી વધુ કેસ નોંધાયા તેનું કારણ કદાચ એ છે કે રાજ્યએ મોટી સંખ્યામાં કોવિડ પરીક્ષણો કર્યા છે.
મિઝોરમમાં પણ કોરોનાના બે કેસ નોંધાયા છે. સાત મહિના પછી, રાજ્યમાં કોરોનાના કેસ મળી આવ્યા છે. ત્યારથી, ઉત્તરપૂર્વ ભારતના તમામ સાત રાજ્યો કોરોનાના કેસોને લઈને સતર્ક થઈ ગયા છે.