દુધાળા ખાતે ગાગડીયો નદી પર ધોળકીયા ફાઉન્ડેશનના પદ્મશ્રી સવજીભાઈ ધોળકીયા દ્વારા ભારત માતા સરોવર નિર્માણ કરવામાં આવ્યું હતું. તેની દિવાળી વેકેશન દરમિયાન ૬૦ હજાર પર્યટકોએ મુલાકાત લીધી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારત માતા સરોવરનું લોકાર્પણ કર્યું હતું. ભારત માતા સરોવર સમગ્ર અમરેલી જિલ્લામાં પર્યટન સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. સાથે સાથે ધોળકીયા ફાઉન્ડેશન દ્વારા અમૃતવન, બર્ડ પાર્ક, ફુવારા સહિતના પ્રવાસન સ્થળનું નિર્માણ કર્યું છે. અહીં એન્ટ્રી પાસની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાંથી પ્રાપ્ત થતી રકમ નંદી ગૌશાળા અને પક્ષી ઘરોમાં દાન પેટે આપી દેવામાં આવે છે. અહીં સ્થાનિક નાસ્તાના વેપારીઓની આવકમાં પણ વધારો થયો છે. ધોળકીયા ફાઉન્ડેશનના કનકભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા પર્યટકોને જળસંચયની કામગીરી અંગે માહિતી આપવામાં આવે છે.