રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં દિલશાદ ગાર્ડનની કોડી કોલોનીમાં ગઈકાલે મોડી રાત્રે આગ લાગી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈ-રિક્ષા ચાર્જ થઈ રહી હતી. પછી તેમાં આગ લાગી. આગમાં દાઝી જવાથી બે લોકોના મોત થયા.

આગના સમાચાર મળતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. આગ બુઝાઈ ગઈ. આગમાં બે ઈ-રિક્ષા અને એક બાઇક બળી ગયા હતા, જ્યારે મૃતકોમાં એક ૨૪ વર્ષીય યુવક અને એક સાઠ વર્ષીય વૃદ્ધનો સમાવેશ થાય છે.

આ ઘટના અંગે ફાયર ઓફિસર અનૂપ સિંહે જણાવ્યું હતું કે, ‘અમને રાત્રે ૧૧.૩૨ વાગ્યે આગ લાગવાની માહિતી મળી હતી. ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ ઓલવવાનું કામ શરૂ કર્યું હતું. એવું લાગે છે કે ઈ-રિક્ષા ચાર્જ થવાને કારણે આગ લાગી હતી. આ સમગ્ર મામલાની વધુ તપાસ ચાલી રહી છે.’

શુક્રવારે વહેલી સવારે, ઉત્તર-પૂર્વ દિલ્હીના ઘોંડા વિસ્તારમાં એક ઈ-રિક્ષા ચા‹જગ સ્ટેશનમાં આગ લાગી હતી. આગની જાણ થતાં જ દિલ્હી ફાયર સર્વિસએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી.ડીએફએસ અધિકારીઓએ પુષ્ટિ આપી હતી કે આગને કાબુમાં લેવા માટે તાત્કાલિક ચાર ફાયર એન્જીન ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. શુક્રવારે બપોરે આ ઘટનાની જાણ થઈ હતી અને ઇમરજન્સી ટીમે સમયસર આગ પર કાબુ મેળવ્યો હતો.