દિલ્હીના ઘણા વિસ્તારોમાં વહીવટીતંત્રનું બુલડોઝર હજુ પણ ચાલી રહ્યું છે. અશોક વિહારમાં જેલર વાલા બાગમાં ઘણી ઝૂંપડપટ્ટીઓ તોડી પાડવામાં આવી છે. દિલ્હી વિકાસ સત્તામંડળની ટીમ ઝૂંપડપટ્ટીઓ તોડી પાડવા માટે પહોંચી ગઈ છે. દિલ્હી પોલીસ અને ભારે સુરક્ષા દળો પણ ટીમ સાથે હાજર હતાં.આપના દિલ્હીના વડા સૌરભ ભારદ્વાજે ટ્વીટર પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું કે જ્યારથી ભાજપ સરકાર આવી છે, ત્યારથી દિલ્હીમાં ગરીબોના ઘર અને રોજગાર બંનેનો નાશ થઈ રહ્યો છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તા પંજાબના પ્રવાસમાં વ્યસ્ત છે. અહીં દિલ્હીમાં દરરોજ બુલડોઝર ચલાવવામાં આવી રહ્યા છે.તેમણે વધુમાં કહ્યું કે મુખ્યમંત્રી રેખાએ જણાવવું જાઈએ કે આ ગરીબ લોકોને વિસ્થાપિત કરતા પહેલા તેમને ક્યાં ઘર આપવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારે જણાવવું જાઈએ કે જ્યાં ઝૂંપડપટ્ટી છે તે ઘરનું શું થયું? ભાજપે જણાવવું જાઈએ કે ચૂંટણી પહેલા ઝૂંપડપટ્ટી સ્થળાંતરના નાટકનું શું થયું?
આમ આદમી પાર્ટી દિલ્હીમાં અલગ અલગ સ્થળોએ તોડી પાડવામાં આવી રહેલી ઝૂંપડપટ્ટીઓનો વિરોધ કરશે. આ અંતર્ગત, ૨૯ જૂને, ઝૂંપડપટ્ટીવાસીઓ સાથે જંતર મંતર પર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. છછઁના દિલ્હી પ્રદેશ પ્રમુખ સૌરભ ભારદ્વાજે કહ્યું કે, તેમના વચન મુજબ, ભાજપ સરકારે પહેલા આ ગરીબ લોકોને જ્યાં પણ ઝૂંપડપટ્ટીઓ હોય ત્યાં ઘર આપવા જાઈએ, અને પછી તેમના ઘરો પર બુલડોઝર ચલાવવા જાઈએ.
તેમણે કહ્યું કે, દિલ્હીમાં ભાજપ સરકાર સત્તામાં આવી ત્યારથી, બુલડોઝરથી એક પછી એક મોટી ઝૂંપડપટ્ટીઓ સાફ કરવામાં આવી રહી છે. બવાનાના રોહિણી સેક્ટર ૨૨ માં એક ઝૂંપડપટ્ટી હતી. એક મહિના પહેલા, સવારે ૧૧ વાગ્યે, તે ઝૂંપડપટ્ટીમાં આગ લાગી હતી. તેમાં બે માસૂમ બાળકો જીવતા બળી ગયા હતા. ત્યારબાદ, સરકારે બુલડોઝરથી બધું સાફ કર્યું અને ત્યાંથી તેને દૂર કર્યું. એ જ રીતે, મદ્રાસી કેમ્પ પણ સાફ કરવામાં આવ્યો. તેમણે કહ્યું કે દિલ્હીની ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોની સંખ્યા લાખોમાં છે. જા આ લોકો સાથે મળીને અવાજ ઉઠાવશે, તો સરકારે ઝૂકવું પડશે. આમ આદમી પાર્ટી દિલ્હીની અંદર એક મોટું આંદોલન શરૂ કરશે. અમે બધા ઝૂંપડપટ્ટીવાસીઓને એક કરીશું અને ૨૯ જૂને સવારે ૧૦ વાગ્યે, બધા જ જંતર-મંતર પર સાથે મળીને અવાજ ઉઠાવશે.
તાજેતરમાં, આમ આદમી પાર્ટીએ કાલકાજી વિધાનસભા સ્થિત ભૂમિહીન શિબિરની ઝૂંપડપટ્ટીઓ પર બુલડોઝર ચલાવવાનો સખત વિરોધ કર્યો હતો. સ્થાનિક ધારાસભ્ય અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા આતિશીએ ઘટનાસ્થળે પહોંચીને અસરગ્રસ્ત પરિવારોને મળ્યા અને કહ્યું કે ફરી એકવાર સાબિત થયું છે કે ભાજપના કહેવા અને કાર્યવાહીમાં તફાવત છે. લોકોને નષ્ટ ન કરવાની વાત કરનારા મુખ્યમંત્રીએ ઝૂંપડપટ્ટીઓ તોડી પાડી. આતિશીના મતે, માત્ર ૧૦૦ દિવસમાં, ભાજપ સરકારે ગરીબો પર ત્રીજી વખત હુમલો કર્યો. પહેલા વીજળી મોંઘી કરવામાં આવી, પછી શિક્ષણ અને હવે ઘર છીનવી લેવામાં આવ્યા. તેમણે કહ્યું કે ભૂમિહીન શિબિર કેસની સુનાવણી બુધવારે સવારે ૧૧ વાગ્યે કોર્ટમાં થવાની હતી, પરંતુ તે પહેલાં સવારે ૫ વાગ્યે ઝૂંપડપટ્ટીઓ તોડી પાડવામાં આવી હતી.
આપ નેતાએ કહ્યું કે ડીડીએ, દિલ્હી સરકાર અને ડ્ઢેંજીંમ્ પોતે કોર્ટમાં ઉભા રહીને કહ્યું હતું કે ગરીબોને ઘરો આપવામાં આવશે નહીં. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે ભાજપ ગરીબ વિરોધી પક્ષ છે અને જાણી જાઈને ઝૂંપડપટ્ટીવાસીઓને દિલ્હીમાંથી બહાર કાઢવા માંગે છે. આતિશીએ પ્રશ્ન ઉઠાવ્યો કે શું ભાજપ યુપી-બિહારના લોકોને દિલ્હીથી ભગાડીને ત્યાં મત માંગવા જવા માંગે છે. તેમણે કહ્યું કે એક તરફ ભાજપ બિહારમાં ચૂંટણી જીતવા માંગે છે અને બીજી તરફ તે દિલ્હીમાં તે જ લોકોના ઘરો તોડી રહી છે.